કેરળમાં કોરોનાનો કહેર વચ્ચે દેશમાં નવા 29.559 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 28.043 દર્દીઓ રિકવર થયા : વધુ 291 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.46.690 થયો :એક્ટીવ કેસ 2.94.614 થયા : કુલ કેસની સંખ્યા 3.36.23.082 થઇ
સૌથી વધુ કેરળમાં 17.983 કેસ,મહારાષ્ટ્ર્રમાં 3286 કેસ, મિઝોરમમાં 1257 કેસ, તામિલનાડુમાં 1733 કેસ, આંધ્રપ્રદેશમાં 1286 કેસ, કર્ણાટકમાં 789 કેસ, પશ્ચિમ બંગાળમાં 744 કેસ, ઓરિસ્સામાં 539 કેસ, આસામમાં 406 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 29.043 કેસ નોંધાયા છે. જ્યારે 28.043 દર્દીઓ રિકવર થયા છે
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 29.559 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 291 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.46.690 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 29.559 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.36.23.082 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.94.614 થઇ છે છેલ્લા 24 કલાકમાં 29.559 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.28.68.772 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી કેરળમાં 17.983 કેસ,મહારાષ્ટ્ર્રમાં 3286 કેસ, મિઝોરમમાં 1257 કેસ, તામિલનાડુમાં 1733 કેસ, આંધ્રપ્રદેશમાં 1286 કેસ, કર્ણાટકમાં 789 કેસ, પશ્ચિમ બંગાળમાં 744 કેસ, ઓરિસ્સામાં 539 કેસ, આસામમાં 406 કેસ નોંધાયા છે