મુખ્ય સમાચાર
News of Thursday, 24th November 2022

ભારત- બાંગ્લાદેશની મેચના સ્થળમાં ફેરફાર : ધમકી મળતા લેવામાં આવ્યો મોટો નિર્ણય

બાંગ્લાદેશની નેશનલિસ્ટ પાર્ટીએ વિરોધ પ્રદર્શનનું એલાન કરીને રેલીનું આયોજન કર્યુ: વિરોધ પ્રદર્શનની ધમકીઓ વચ્ચે સ્થળ ફેરફાર કરાયો

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી વન ડે બાંગ્લાદેશના ઢાકામાં રમાવાની હતી. પણ હવે આ મેચ ચટગામમાં રમાશે. 10 ડિસેમ્બરે ભારત-બાંગ્લાદેશની ત્રીજી વન ડે સમય એ બાંગ્લાદેશની નેશનલિસ્ટ પાર્ટી એ વિરોધ પ્રદર્શનનું એલાન કરીને રેલીનું આયોજન કર્યુ છે. તેથી વિરોધ પ્રદર્શનની ધમકીઓ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રીજી મેચનું સ્થળ બદલી નાખ્યુ છે.

 બાંગ્લાદેશ પ્રવાસ સમયે ભારત-બાંગ્લાદેશ વચ્ચેની તમામ 3 વન ડે મેચ ઢાકામાં જ થવાની હતી. પણ વિરોધ પ્રદર્શનને કારણે છેલ્લી વન ડે મેચ ચટગાંવમાં થશે. ઢાકાના આ સ્ટેડિયમમાં ટેસ્ટ સીરીઝની બીજી મેચ પણ રમાશે. જે 14 ડિસેમ્બરના રોજ શરુ થશે.

(12:53 am IST)