News of Monday, 26th July 2021
સરકાર પુંજીપતિ મિત્રોના ચશ્માથી ખેડુતોનું સંકટ જોઇ રહી છેઃ પ્રિયંકા ગાંધી
નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આરોપ લગાડેલ કે મોદી સરકાર કાળા કૃષિ કાયદાઓને પરત લેવાની જગ્યાએ દેશના ખેડુતોને વારંવાર અપમાનીત કરવામાં લાગી છે. સરકાર પોતાના પુંજીપતિ મિત્રોને ફાયદો પહોંચાડવાનું કામ કરી રહી છે અને તેમના જ ચશ્માથી ખેડુતોના સંકટને જોઇ રહી છે, જેથી તેમને હકીકત નજર નથી આવતી.
(3:05 pm IST)