મુખ્ય સમાચાર
News of Monday, 26th July 2021

મેજર વાંગચૂકે કારગીલના યુદ્ધમાં પ્રથમ વિજય મેળવ્યો

૧૯૯૯નો ૨૬ જુલાઈ ભારતીયો માટે યાદગાર દિવસ : દુશ્મનો ૫૫૦૦ ફૂટની ઊંચાઈથી સતત ગોળીબાર કરતા હતા ત્યારે લદ્દાખ સ્કાઉટ્સના મેજરને જવાબદારી સોંપી

 

નવી દિલ્હી, તા.૨૬ : તારીખ ૨૬ જુલાઈ, ૧૯૯૯નો તે દિવસ જે કોઈ ભારતીય ભૂલી નહીં શકે. દિવસે દેશમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોનું શૌર્ય અને પરાક્રમના કિસ્સા તો સમગ્ર દુનિયા જાણે છે. ત્યારે આજે આપણે જાણીશું ભારતીય સેનાના સ્નૉ ટાઈગર્સ એટલે કે લદ્દાખ સ્કાઉટ્સની વીરતાની ગાથા.

પાકિસ્તાની ઘૂસણખોરીના સમાચાર મળતા લદ્દાખ સ્કાઉન્ટસના જવાનો ત્યાં તૈયાર હતા. આપણા દુશ્મનો ૫૫૦૦ ફૂટની ઊંચાઈથી સતત ગોળીબાર કરી રહ્યા હતા. સ્થિતિ વધુને વધુ મુશ્કેલ થઈ રહી હતી. તેવામાં દુશ્મનોને ખતમ કરવા માટે સેનાએ જવાબદારી લદ્દાખ સ્કાઉટ્સના મેજર સોનમ વાંગચુકને સોંપી હતી. જેમણે ૩૦-૪૦ જવાનોની સાથે મિશનને સાકાર કર્યું હતું.

૩૦ મેના રોજ વાંગચુકના જવાનોએ એલઓસી પાર ૧૨થી ૧૩ પાકિસ્તાની ટેંટને સ્પોટ કર્યા. જેમાં ૧૩૦થી વધારે જવાનો હતા. ત્યારે તેમણે ૩થી પાકિસ્તાની જવાનોને બીજી તરફથી પહાડ પર ચડતા જોયા અને તેઓને ઠાર માર્યા. બાદમાં મેજર વાંગચુક સુધી જાણકારી પહોંચાડી અને તેમણે મુખ્યાલયથી પરમિશન લીધી અને ૨૪ જવાનો સાથે ઉપડ્યા.

ફૂટ ઊંડા બરફમાં જવાનોએ કિમીનું અંતર માત્ર અઢી કલાકમાં પૂરું કર્યું. પણ, પાકિસ્તાની સેનાએ ગોળીબાર રૂ કર્યો. કલાકો સુધી ગોળીબાર ચાલ્યો કે તેમાં આપણા એક સૈનિક શહીદ થયા. પણ, સ્નૉ ટાઈગર્સે હાર માની નહીં. મેજર વાંગચુકનો રેડિયો પણ તૂટી ગયો હતો. ગોળીબાર બંધ થતાં તેમણે એક સૈનિકને યૂનિટમાં પરત બોલાવ્યો. પછી આદેશ આપ્યો કે જમણી તરફથી પાકિસ્તાનની કબ્જાવાળી ચોટી પર લડાઈ રૂ કરી દો. સાથે મેજર વાંગચુક અને અન્ય સૈનિક ઓપરેશન પોસ્ટ નીચે સ્થિત એડમ બેઝ તરફ આગળ વધ્યા. ત્યારે સાંજના સાડા ચાર વાગી રહ્યા હતા. પછી લડાકુઓએ ૧૮૦૦૦ ફૂટની ચઢાઈ રાત દરમિયાન પૂરી કરી. ચઢાઈ લગભગ ૯૦ ડિગ્રીની ચઢાઈ જેવી હતી. એકદમ સીધો પહાડ અને - ડિગ્રી તાપમાન હતું. તેમ છતાં આપણા સૈનિકોએ કામ પૂર્ણ કર્યું. સવાર થતાં મેજર વાંગચુકના દળે પાકિસ્તાનીઓ પર હુમલો કર્યો. લદ્દાખ સ્કાઉટ્સે ૧૦ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા. જેથી બાકીના બચેલા ૧૦૦થી વધારે સૈનિક તેમની પોસ્ટ છોડીને ભાગી ગયા. ભારતીય સૈનિકોએ ત્યારબાદ ચોરબાટલા સહિત સમગ્ર બટાલિક સેક્ટરને પાકિસ્તાની કબ્જામાંથી પરત લીધું. કારગિલ લડાઈમાં ભારતની પ્રથમ જીત હતી. ૩૧મેથી જૂન સુધી ચાલેલી લડાઈમાં મોટી ભૂમિકા ભજવનાર મેજર સોનમ વાંગચુકને સેનાએ મહાવીર ચક્રથી સન્માનિત કર્યા. જ્યારે લદ્દાખ સ્કાઉટ્સને ભારતીય સેનાએ ૨૦૦૧માં ઈન્ફેન્ટરી રેજિમેન્ટનો દરજ્જો આપ્યો. સિયાચિનમાં પણ લદ્દાખના લડવૈયાઓને હાજર રાખવામાં આવે છે.

(7:37 pm IST)