સોનિયા ગાંધી સાથે મુલાકાતના સવાલ પર ભડક્યા મમતા બેનર્જી : કહ્યું-,એપોઇન્ટમેન્ટ પણ માંગી નથી
30મીએ મુંબઈમાં એનસીપી પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વડાપ્રધાનમોદી સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે તેમની દિલ્હી મુલાકાત દરમિયાન મુલાકાતના મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્ન પર નારાજ થઈ ગયા હતા, જ્યારે સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ 30 નવેમ્બરે મુંબઈ જઈ રહ્યા છે અને મુંબઈમાં તેઓ એનસીપી પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે.
વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટીના વિસ્તરણમાં લાગેલા મમતા બેનર્જીના કોંગ્રેસ સાથે સંબંધો બગડી રહ્યા છે અને મમતા બેનર્જી કોંગ્રેસના નેતાઓને તોડી રહી છે.ગત દિલ્હી પ્રવાસ દરમિયાન મમતા બેનર્જીએ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી સોનિયા ગાંધીને મળ્યા નથી.
સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે હાલમાં પંજાબ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ ખૂબ જ વ્યસ્ત છે. જેના કારણે તેણે એપોઈન્ટમેન્ટ પણ માંગી ન હતી. સોનિયા વિશે વારંવાર પૂછવામાં આવતા મમતા બેનર્જીએ કહ્યું કે તે બધાને તેમના પ્રશ્નો માટે બધાને સંતુષ્ટ કરી શક્શે નહીં.
મમતા બેનર્જીએ કહ્યું કે તે બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ માટે 30 નવેમ્બરે મુંબઈ જઈ રહ્યા છે. ત્યાં તેઓ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરશે. આ સાથે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ મળશે. તેમણે કહ્યું કે તેઓ વારાણસી પણ જશે અને ત્યાં દીવો પ્રગટાવશે. જો કે તેઓ વારાણસી ક્યારે જશે તે જાહેર કર્યું નથી. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં સપાને મદદ કરવા તૈયાર છે. જો એસપી મદદ માંગશે તો ચોક્કસ સહકાર આપશે.