રાજસ્થાનના 80 ટકા ધારાસભ્યો સચિન પાયલટની પડખે છે :સરકારના મંત્રીના દાવાથી રાજસ્થાનના રાજકારણ ગરમાયુ
મંત્રી આરએસ ગુડાએ કહ્યું “ગેહલોત તેમની ખુરશી પર બેઠા છે કારણ કે કોંગ્રેસ હાઈકમાન્ડનો તેમના પર હાથ છે. હું કહું છું કે સામસામે સ્પર્ધા થવી જોઈએ
નવી દિલ્હી :રાજસ્થાન કોંગ્રેસમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે કલહ હવે ધારાસભ્યો સુધી પહોંચી ગયો છે, અશોક ગેહલોતે ન્યૂઝ ચેનલ એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં સચિન પાયલટને દેશદ્રોહી કહ્યો હતો. સચિન પાયલટે આનો જવાબ આપતા કહ્યું કે તે મને નાલાયક અને દેશદ્રોહી વગેરે કહી રહ્યો છે પરંતુ હું મારા ઉછેરમાં આવા શબ્દોનો ઉપયોગ કરવાનું શિક્ષા આપી નથી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા પાયલોટે એમ પણ કહ્યું છે કે નામ-નિશાન કરવાથી અને આ પ્રકારના આરોપો લગાવવાથી બહુ કંઈ પ્રાપ્ત થવાનું નથી. પરંતુ બંને નેતાઓ વચ્ચેની બયાનબાજી હવે બે જૂથો વચ્ચેના સંઘર્ષમાં ફેરવાઈ રહી છે. શુક્રવારે સવારે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા રાજસ્થાન સરકારના મંત્રી આરએસ ગુડાએ દાવો કર્યો હતો કે રાજસ્થાનના 80 ટકા ધારાસભ્યો સચિન પાયલટની સાથે છે. તેમણે કહ્યું, “ગેહલોત તેમની ખુરશી પર બેઠા છે કારણ કે કોંગ્રેસ હાઈકમાન્ડનો તેમના પર હાથ છે. હું કહું છું કે સામસામે સ્પર્ધા થવી જોઈએ. જો રાજ્યના 80 ટકા ધારાસભ્યો સચિન પાયલટ સાથે નહીં આવે તો અમે અમારો દાવો છોડી દઈશું. ગુડાએ એમ પણ કહ્યું, “તેઓ તેને નિકમ્મો, નાકારો અને તે સિવાય પણ ઘણું બધુ કહેતા રહે છે. પરંતુ તમને જણાવી દઈએ કે રાજસ્થાનના સ્વાસ્થ્ય માટે તેમનાથી સારો નેતા કોઈ હોઈ જ ન શકે. આ પહેલીવાર નથી કે જ્યારે સચિન પાયલોટ અને અશોક ગેહલોતના જૂથ આ રીતે ખુલ્લેઆમ આમને-સામને આવ્યા હોય. અગાઉ કોંગ્રેસ પ્રમુખ પદ માટેની ચૂંટણી દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. બે વર્ષ પહેલા જૂન 2020માં સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે મુકાબલો થયો હતો. ત્યારે સચિન પાયલટે ખુલ્લેઆમ ગેહલોત સામે બળવો કર્યો હતો. |