RRB-NTPC પરિણામ વિવાદ બિહારમાં ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓએ પ્રદર્શન : એક પેસેન્જર ટ્રેનને આગ ચાંપી
ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ અનેક ટ્રેનોને નિશાન બનાવી અને શ્રમજીવી એક્સપ્રેસને પણ ભારે નુકસાન પહોંચાડ્યું
પટના: RRB NTPC વિરોધઃ RRB-NTPC પરિણામ વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. આજે પણ બિહારમાં ઘણી જગ્યાએ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું અને આ દરમિયાન એક ટ્રેનને આગ ચાંપી દેવામાં આવી. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ યાર્ડમાં પાર્ક કરેલી પેસેન્જર ટ્રેનને આગ ચાંપી દીધી હતી.
ટ્રેનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચવું પડ્યું હતું. પોલીસ વિદ્યાર્થીઓને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓ પણ પોલીસની પકડ બહાર છે. બીજી તરફ ગયા રેલવે સ્ટેશન પરિસરમાં ચાલતી ટ્રેન પર વિદ્યાર્થીઓએ પથ્થરમારો કર્યો હતો.
ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ અનેક ટ્રેનોને નિશાન બનાવી અને શ્રમજીવી એક્સપ્રેસને પણ ભારે નુકસાન પહોંચાડ્યું. જેમાં જહાનાબાદમાં વિદ્યાર્થીઓએ રેલ ટ્રેક જામ કર્યો અને પછી પીએમ મોદીનું પૂતળું બાળ્યું. આ સાથે જ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પોલીસે વિદ્યાર્થીઓને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તે નિષ્ફળ રહી.
અસલમાં આ વિરોધ રેલ્વે ભરતી બોર્ડની નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (RRB NTPC) પરીક્ષાના પરિણામોમાં કથિત અનિયમિતતાઓને લઈને કરવામાં આવી રહ્યો છે.
રેલ્વે મંત્રાલયે NTPS અને લેવલ-1 બંને રેલ્વે પરીક્ષાઓ આજે મોકૂફ રાખી છે. રેલ્વે મંત્રાલયે એક સમિતિની રચના કરી છે જે પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ અને પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓના મંતવ્યો સાંભળશે અને તેના આધારે રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટ રેલ્વે મંત્રાલયને સુપરત કરવામાં આવશે. ત્યારપછી રેલવે મંત્રાલય આગળનો નિર્ણય લેશે.