મુખ્ય સમાચાર
News of Thursday, 27th January 2022

પદ્મ એવોર્ડ સ્‍વિકારવા ડાબેરી નેતા બુદ્ધદેવનો ઈનકાર

કોલકાતા, તા.૨૭: કેન્‍દ્ર સરકારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્‍યાએ ડાબેરી નેતા અને પヘમિ બંગાળના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની પદ્મ ભૂષણ એવોર્ડ માટે પસંદગી કરી હતી. જોકે, આ જાહેરાત થયાના થોડાક જ સમયમાં કોમ્‍યુનિસ્‍ટ પાર્ટી ઓફ ઈન્‍ડિયા (સીપીઆઈ-માર્કિસ્‍ટ)ના ભૂતપૂર્વ પોલિટ બ્‍યુરો બુદ્ધદેવ ભટ્ટાચાર્યે પદ્મ એવોર્ડ સ્‍વિકારવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, પદ્મ ભૂષણ એવોર્ડ માટે મારી પસંદગી થઈ છે તેવી કોઈ માહિતીની મને જાણ નથી તેમજ મને આ અંગે સત્તાવાર રીતે પણ કોઈ જાણ કરાઈ નથી. આ એવોર્ડ માટે મારી પસંદગી થઈ હોય તો પણ હું પદ્મ ભૂષણ એવોર્ડ સ્‍વીકારવાનો ઈનકાર કરું છું. કોમ્‍યુનિસ્‍ટ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્ય વર્ષ ૨૦૦૨થી ૨૦૧૧ સુધી પヘમિ બંગાળના મુખ્‍યમંત્રી હતા.

 

(10:17 am IST)