મુખ્ય સમાચાર
News of Thursday, 27th January 2022

કેન્દ્ર વધુ એક મંત્રી સંક્રમિત :વિદેશમંત્રી ડો,એસ.જયશંકર કોરોના પોઝીટીવ

ડો.એસ જયશંકરે પોતે ટ્વીટ કરી આપી જાણકારી : સંપર્કમાં આવેલા લોકોને યોગ્ય સાવચેતી રાખવાની વિનતી કરી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના વધુ એક મંત્રી કોરોના સંક્રાંમિત થયા છે વિદેશ મંત્રી ડો. એસ જયશંકર કોરોના પોઝિટિવ થઈ ગયા છે. આ જાણકારી ડો.એસ જયશંકરે પોતે ટ્વીટ કરી આપી છે. કોરોના સંક્રમિત વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે તાજેતરમાં જ સંપર્કમાં આવેલા લોકોને યોગ્ય સાવચેતી રાખવાની વિનતી કરી છે. અગાઉ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય પણ કોરોનાની ઝપટમાં આવ્યા હતા.

વિદેશ પ્રધાન કોરોના સંક્રમિત થયા તેના પહેલા કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય, ઉદ્યોગ મંત્રી મહેન્દ્ર નાથ પાંડે અને ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે સંક્રમિત થયા હતા.જ્યારે રાજ્યસભા સાંસદ રાકેશ સિંહાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

(7:38 pm IST)