મુખ્ય સમાચાર
News of Saturday, 27th February 2021

પહેલી માર્ચથી ૬૦ વર્ષથી વધુના લોકોને રસી અપાશે

કોરોના સામેની લડાઈને તેજ બનાવતી સરકાર : ૪૫થી ૫૯ વર્ષના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા લોકોને આવરી લેવાશે, ઓનલાઈન-ઓફલાઈન રજિ. ફરજિયાત

ગાંધીનગર, તા. ૨૭ : રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, કોરોના વાયરસ સામે હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વર્કર્સનને રક્ષણ આપવા રસીકરણ અભિયાનની પૂર્ણાહુતિ સાથે હવે કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ રાજ્યમાં પહેલી માર્ચ એટલે કે સોમવારથી ૬૦ વર્ષ કે તેથી મોટી ઉંમરના તેમજ ૪૫થી ૫૯ વર્ષના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા લોકોને કોરોના રસી આપવાની શરૂઆત થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત સરકારની સૂચના મુજબ તમામ નાગરિકોએ ઓનલાઈન અથવા ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ત્યારબાદ તેમને નિયત રસીકરણ કેન્દ્રો અને સમય વગેરેની ફાળવણી કરવામાં આવશે. માન્ય ખાનગી હોસ્પિટલોમાં રજિસ્ટ્રેશન માટે રૂપિયા ૧૦૦નો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવાનો રહેશે અને કેન્દ્ર નકક્કી કરેલો ચાર્જ ચૂકવીને વેક્સીન લઈ શકાશે. જ્યારે સરકારી રસીકરણ કેન્દ્રો પર કોઈપણ ચાર્જ ચૂકવ્યા વિના ડોઝ લઈ શકાશે. રાજ્યના અગ્રસચિવ જયંતિ રવિએ કહ્યું કે, ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને ૪૫થી ૫૯ વર્ષના અન્ય રોગ ધરાવતા નાગરિકોને રસી આપવાની કામગીરી શરૂ થઈ રહી છે.

માર્ચે કેન્દ્ર સરકાર કોવિડ . વેબસાઈટ લોન્ટ કરશે, એના પર યોગ્ય ઉંમર ધરાવનાર વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરાવાનું રહેશે. ઉપરાંત આરોગ્ય સેતુ મોબાઈલ એપ હોય તો એમા એક નંબર ઉપર ચાર વ્યક્તિનું રજિસ્ટ્રેશન થઈ શકશે. નોંધણી માટે આધાર્ડ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, ઈલેક્શન કાર્ડ સહિત ફોટા સાથેના સરકારના માન્ય ઓળખપત્રોની જરૂર રહેશે.

મીડિયા રિપોર્ટ મુજબ જે લોકો પાસે સ્માર્ટ ફોન હોય અથવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં સમસ્યા થતી હોય તો એવા લોકોએ સરકાર દ્વારા નિયત સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો ખાતે દસ્તાવેજો સાથે જઈને ઓફલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે. નીતિન પટેલે જણાવ્યું કે, દેશમાં ફ્રન્ટલાઈન વર્કર્સનું રસીકરણ શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. આજ દિન સુધીમાં .૮૨ લાખ હેલ્થ કેર વર્કર પૈકી કુલ .૦૭ એટલે કે ૮૪ ટકાથી વધુ અને ૭૭ ટકાથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સને રસીનો પહેલો ડોઝ અપાયો છે. ૪૫થી ૫૯ વર્ષની ઉંમરના કો-મોર્બિડ કન્ડીશન ધરાવતા નાગરિકો માટે ૨૦ પ્રકારની ગંભીર બીમારી કેન્દ્ર સરકારે નિયત કરી છે. જેમાં એક વર્ષમાં હાર્ટ એટેક આવ્યો હોય, હાર્ટની ગંભીર બીમારી, જન્મજાત બીમારી, કેથેટર, સ્ટેન્ટ મૂકાયા હોય, કિડની અને લિવરની ગંભીર બીમારી, ડાયાબિટીસ, હાઈપરટેંશન અને એન્ઝાયટી એમ ત્રણ ભેગી બીમારી, કેન્સર, ઁૈંફ, સિક્લસેલ, થેલેસેમિયા મેજરનો સમાવેશ થાય છે. જે લોકોને બીમારીની સારવાર ચાલતી હોય તેમણે રજિસ્ટ્રર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનું સર્ટિફિકેટ પણ જોડીને રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

(7:49 pm IST)