મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

૧૮ દિવસમાં ૨૮૬ મોત

રાજકોટમાંઆજે કોરોનાથી ૧૩ મોત

સિવિલ હોસ્પિટલમાં ૧૧ અને ખાનગી હોસ્પિટલમાં ૦૨ દર્દીઓએ દમ તોડ્યો

રાજકોટ તા. ૨૫:કોરોનાએ ક્રુરતા યથાવત રાખી છે. રાજકોટમાં રોજબરોજ થઇ રહેલા મૃત્યુમાં આજે પણ ૧૩ દર્દીઓની જિંદગીનો અંત આવી ગયો છે. ગઇકાલે ૨૩ દર્દીઓએ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. આજના ૧૩ મળી ૧૮ દિવસનો મૃત્યુઆંક ૨૮૬ સુધી પહોંચી ગયો છે. કોરોનાની સારવાર હેઠળ રહેલા જે ૧૩ દર્દીઓના મોત થયા છે તેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૧ અને ખાનગી હોસ્પિટલમાં ૦૨ દર્દીઓનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહો અંતિમવિધી માટે ફાયર બ્રિગેડની ટીમોને સોંપવામાં આવ્યા હતાં.

(11:02 am IST)