મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

ગાંધીનગરથી આવી રહેલા રાજકોટ પોલીસ કમિશ્નરની મોટર સાથે પૂરપાટ જઈ રહેલ બાઇકનો બાવડા પાસે અકસ્માત : શ્રી મનોજ અગ્રવાલે તુરંત જ ૧૦૮ને બોલાવી મોટર સાયકલ ચાલકને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડેલ

અકિલા સાથે વાતચીતમાં શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યુ હતું કે મોટરને ભારે નુકશાન થયુ છે, પરંતુ ડ્રાઈવર અને તેમણે પોતાને કોઈ ઈજા થઈ નથી

આજે સવારે ગાંધીનગરથી આવી રહેલા રાજકોટના પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલની મોટર સાથે બાવડા પાસે ડ્રાઈવરની પાછળની સાઈડે મોટર સાયકલ પૂરપાટ ઝડપે અથડાઈ હતી. સદ્દભાગ્યે પોલીસ કમિશ્નરશ્રી કે ડ્રાઈવરને કોઈ ઈજા થઈ નથી. શ્રી મનોજ અગ્રવાલે તુરંત જ ૧૦૮ને બોલાવી મોટર સાયકલ ચાલકને તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડેલ છે. મોટરને ભારે નુકશાન થયુ છે, પરંતુ ડ્રાઈવર અને પોલીસ કમિશ્નરને કોઈ ઈજા થઈ નથી. આજે બપોરે અકિલા સાથે વાતચીત કરતા તેમણે વિગતો આપી હતી.

(5:18 pm IST)