મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

દેશમાં કોવિડ-૧૯ દરમિયાન સામાન્‍ય પેટા ચૂંટણીઓ યોજવા માટે ભારતના ચૂંટણી આયોગની માર્ગદર્શક સુચનાઓ બહાર પડાઇ

દેશના વિવિધ રાજયોએ પેટાચૂંટણી સમયે માર્ગદર્શીકાનું કડક પાલન કરવું પડશે : મતદાન મથકમાં મતદાતાઓ માટે કરવાની વ્‍યવસ્‍થા, થર્મલ આઇસોલેશન, સંક્રમિત લોકોને મતદાન કેવી રીતે કરાવવું વિગેરે માર્ગદર્શન સુચનાઓ અધિકારી વર્ગ માટે જારી કરી છે

નવી દિલ્‍હી : દેશભરમાં કોવિડ -૧૯ દરમિયાન હાલ પેટા ચૂંટણી ઓની મોસમ ચાલુ થયેલ છે. દરેક રાજયોના જિલ્લા તાલુકા મથકે પેટા ચૂંટણી યોજવાનો તબક્કાવાર કાર્યક્રમ જાહેર થયેલ છે. ત્‍યારે સંબંધીત જિલ્લા તાલુકામાં ચૂંટણી બુથ પર અધિકારીઓએ કોરોના સંબંધી કેવા પ્રકારની વ્‍યવસ્‍થા કરવી તેનું વિસ્‍તૃત માર્ગદર્શન આપેલ છે.

(9:20 pm IST)