મુખ્ય સમાચાર
News of Thursday, 27th August 2020

પંજાબમાં સાંજે સાત થી સવારે પાંચ વાગ્યા સુધી લોકડાઉન: 29 ધારાસભ્ય કોરોનાની ચપેટમાં

નવી દિલ્હી:પંજાબમાં હવેથી દરરોદ રાત્રે 7 થી સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. પંજાબમાં પહેલાથી જ કલમ 144 લાગૂ છે.  પંજાબમાં વિધાનસભા સત્ર પહેલા કોરોના પોઝિટિવ ધારાસભ્યોની  સંખ્યામાં વધારો થયો છે. હવે રાજ્યમાં 29 ધારાસભ્ય કોરોનાની ચપેટમાં છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગુરુવારે દરેક ધારાસભ્યોને અપીલ કરી છે કે કોરોના પોઝિટિવ ધારાસભ્યો અને મંત્રીઓના સંપર્કમાં આવનારા સભ્યો કાલે એક દિવસીય વિધાનસભામાં ભાગ ના લે.
 

(12:05 am IST)