News of Wednesday, 27th October 2021
RSS ને તાલિબાની આતંકવાદી સંસ્થા ગણાવનાર પાદરીના આગોતરા જામીન મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ફગાવ્યા : આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાનું નામદાર કોર્ટનું મંતવ્ય
ગ્વાલિયર : RSS ને તાલિબાની આતંકવાદી સંસ્થા ગણાવનાર પાદરી અતુલના આગોતરા જામીન મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ફગાવી દીધા છે.
આરોપીના એડવોકેટે બચાવમાં જણાવ્યું હતું કે સોશિઅલ મીડિયામાં વાઇરલ થયેલ આ મેસેજમાં પાદરી ક્યાંય શામેલ નથી.તેને રાજકીય કારણોસર ફસાવી દેવામાં આવેલ છે.
નામદાર કોર્ટે બચાવ પક્ષના વકીલની દલીલ નામંજૂર કરતા જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવાઓ છે.
નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે કોઈની લાગણી દુભાવી શકાય નહી.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.
(12:32 pm IST)