મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

રાજકોટમાં કોવીડ હોસ્પિટલ અગ્નિકાંડ :સરકારે આ મામલે ગંભીરતા દાખવી યોગ્ય તપાસ કરવી જોઇએ: રાહુલ ગાંધી

રાહુલ ગાંધી એ ટ્વીટ કરી મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનોને પોતાની સંવેદના વ્યક્ત કરી

નવી દિલ્હી : રાજકોટની કોવિડ હોસ્પિટલ શિવાનંદ હોપ્ટિલના ICUમાં આગ લાગતા 5 કોરોના દર્દીના દાઝી જતા મોત નિપજ્યા. આ મામલે રાહુલ ગાંધી એ ટ્વીટ કરી મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનોને પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે,રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર ચિંતાજનક છે. ઓગસ્ટ મહિનામાં પણ આ પ્રકારની આગ અમદાવાદમાં લાગી હતી. સરકારે આ મામલે ગંભીરતા દાખવી તપાસ યોગ્ય તપાસ કરવી જોઇએ. જીવ ગુમાવનાર દર્દીના પ્રત્યે મારી સંવેદના છે.”

(12:00 am IST)