ઈન્ડિગો એરલાઇન્સની લાપરવાહીના કારણે જયપુર લગ્નમાં ગયેલ લોકોને નવા કપડા લેવાની ફરજ પડી
ઈન્ડિગો ફ્લાઈટમાં પોતાનો સામાન અમદાવાદ એરપોર્ટ પરથી લોડ નહીં કરતા મુસાફરોને હાલાકી
અમદાવાદ : ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરોને કડવો અનુભવ થયો છે. અમદાવાદથી જયપુર ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરો લગ્ન માટે ગયા હતા. જો કે, મુસાફરોનો સામાન અમદાવાદ એર્પોરેટ પર ઈન્ડિગો ફ્લાઈટમાં સામાન અમદાવાદ એરપોર્ટ પરથી લોડ ન કરવામાં આવ્યો. જેથી ઈન્ડિગોની ભૂલના કારણે આ પ્રવાસીએ જયપુર પહોચી નવા કપડા લેવાની ફરજ પડી.
અમદાવાદ એરપોર્ટ પરથી 26 નવેમ્બરે બપોરે 3.10 કલાકે કલાકની જયપુરની ફ્લાઈટમાં જવા આ પ્રવાસી રવાના થયા. જેઓ 4:45 કલાકે જયપુર પહોંચ્યા. જયપુર પહોંચ્યા બાદ તેઓ પોતાનો સામાન ક્યારે મળે તેની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ સમય જતાં સામાન ન મળ્યો અને ઈન્ડિગો એરલાઈન્સના જવાબદાર વ્યક્તિ સાથે તેમના સામાન અંગે પૂછપરછ કરી. ત્યારે તેમને જાણવા મળ્યું કે, ન માત્ર તેમનો પરંતુ તેમની સાથે રહેલ અન્ય પાંચ જેટલા પ્રવાસીઓનો સામાન જગ્યા ન હોવાના કારણે અમદાવાદથી ફ્લાઈટમાં લોડ કરવામાં આવ્યો ન હતો.
આ ઘટના બનવાથી બેગ-સામાન ન મેળવી શકનાર પ્રવાસીઓ રઝળી પડવાનો વારો આવ્યો હતો. જે પૈકી એક પ્રવાસીએ જયપુરથી આગળ લગ્ન પ્રસંગે જવાનું હતું, પરંતુ પોતાની બેગ અમદાવાદ એરપોર્ટથી લોડ થઈ ન હતી,જેમાં તેમનો મહત્વનો સામાન અને દવાઓ હતી. બેગ ન મળી શકવાના કારણે લગ્ન માટે નવા કપડા ખરીદવાનો વારો આવ્યો. જોકે આજે સવારે ઈન્ડિગો એરલાઇન્સ મારફત તેમની બેગ તેમની પાસે પહોંચાડી દેવામાં આવી હતી.