ભારતના મહાન રાજદૂત શ્રી કૃષ્ણ અને હનુમાન હતા. ભગવાન હનુમાન મિશનથી આગળ વધી ગયા હતા. તેઓ બહુહેતુક રાજદૂત હતા. શ્રી કૃષ્ણ વ્યૂહાત્મક રીતે ધીરજ રાખવામાં ઉત્તમ હતા. મહાભારતમાં પાંડવોની પ્રતિષ્ઠા કૌરવો કરતા સારી હતીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર શાબ્દિક પ્રહાર કર્યા
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર શાબ્દિક પ્રહાર કર્યા હતા. ચીની સૈનિકોએ ભારતીય સીમા પર કરેલ દબાણ મુદ્દે નિવેદન આપ્યું હતું.
વિદેશ મંત્રીએ કહ્યું, ભારતની જમીન પર ચીને 1962માં કબજો જમાવ્યો હતો, પુણેના એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, 'ભારતના મહાન રાજદૂત શ્રી કૃષ્ણ અને હનુમાન હતા. ભગવાન હનુમાન મિશનથી આગળ વધી ગયા હતા. તેઓ બહુહેતુક રાજદૂત હતા. શ્રી કૃષ્ણ વ્યૂહાત્મક રીતે ધીરજ રાખવામાં ઉત્તમ હતા. મહાભારતમાં પાંડવોની પ્રતિષ્ઠા કૌરવો કરતા સારી હતી. વિપક્ષને આડે હાથ લેતા વિદેશ મંત્રીએ મોટું નિવેદન આપ્યું હતું. એસ. જયશંકરે રાહુલ ગાંધી અને ચીનના રાજદૂત વચ્ચેના કથિત સંપર્કના મુદ્દે પણ ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું કે જો મારા વિચારમાં કોઈ ઉણપ હશે તો હું મારી સેના અથવા ગુપ્તચર સાથે વાત કરીશ. હું ચીનના રાજદૂતને ફોન કરીને મારા સમાચાર પૂછતો નથી.
ઓસ્ટ્રિયા પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાન પર પ્રહાર કરતા કહ્યું હતું કે આતંકવાદનું કેન્દ્ર ભારતની ખૂબ નજીક છે. પાકિસ્તાન એ જ દેશ છે જેણે મુંબઈ પર હુમલો કર્યો હતો. હોટલ અને વિદેશી પ્રવાસીઓ પર હુમલો કર્યો. દરરોજ આતંકવાદીઓને સરહદ પાર મોકલે છે. આતંકવાદ પર કડક વલણ રજૂ કરતાં તેમણે કહ્યું હતું કે જો હું ઇચ્છતો હોત તો હું એપીસેન્ટર શબ્દ કરતાં વધુ કઠોર શબ્દોનો ઉપયોગ કરી શક્યો હોત.