News of Thursday, 29th July 2021
મારેંગે યહાં, લાશ ગિરેગી સ્મશાન મેં...
ફિલ્મી ડાયલોગથી હિંસા નથી ફેલાતીઃ હાઇકોર્ટએ આપી મિથુન ચક્રવર્તીને રાહત
કોલકત્તા તા. ૨૯: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી વખતે ફિલ્મનો ડાયલોગ 'મારેંગે યહાં, લાશ ગિરેગી સ્મશાન મેં' બોલવાને કારણે વિવાદમાં ફસાયેલા બોલીવૂડના અભિનેતા મિથુન ચક્રવર્તીને કોલકત્તા હાઇકોર્ટમાંથી બુધવારે રાહત મળી છે.
કોર્ટએ કહ્યું હતું કે ફિલ્મોના ડાયલોગથી હિંસા નથી ફેલાતી. ફિલ્મ શોલેથી લઇને અત્યાર સુધીમાં હજારો ફિલ્મોના ડાયલોગ લોકપ્રિય થયા છે. લોકો અવાર નવાર આ ડાયલોગ બોલતાં હોય છે. પરંતુ એનાથી હિંસા નથી થઇ. ચૂંટણી પહેલા કે પછી થયેલી હિંસા સાથે મિથુન અથવા તો તેના ડાયલોગને કંઇ લેવાદેવા નથી. કોર્ટએ કોલકત્તા પોલીસને આ બનાવની તપાસનો રિપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યો છે. આગામી સુનાવણી આવતા મંગળવારે થવાની છે.
(1:00 pm IST)