News of Saturday, 29th August 2020
૨૦ દિવસમાં ૩૩૦મોત
કોરોનાની કાતિલ ગતિ યથાવતઃ રાજકોટમાં આજે પણ ૨૨ના મોત
સિવિલ હોસ્પિટલમાં ૧૬ અને ખાનગી હોસ્પિટલમાં ૦૬ દર્દીઓએ દમ તોડ્યો
રાજકોટ તા. ૨૮: વૈશ્વીક મહામારી કોરોનાથી રોજબરોજ લોકોની જિંદગી ખતમ થઇ રહી છે. રાજકોટમાં રોજેરોજ નવા પોઝિટિવ કેસ જાહેર થવાની સાથોસાથ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં મોત પણ થતાં રહે છે. ગઇકાલની જેમ આજે પણ ૨૨ દર્દીઓની જિંદગીનો અંત આવી ગયો છે. સિવિલમાં ૧૬ અને ખાનગી હોસ્પિટલમાં ૦૬ દર્દીના મોત થયા છે. તે સાથે ૨૦ દિવસમાં ૩૩૦ મોત થયા છે.
(9:54 am IST)