શોપિયાં અથડામણઃ સરપંચની હત્યા કરનાર ૨ આતંકવાદી સહિત ૪ ઠારઃ એક જીવતો પકડાયો
શ્રીનગર, તા.૨૯: જમ્મૂ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ૪ આતંકવાદી ઠાર માર્યા હતા જયારે એક આતંકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો હતો. બાકી આતંકવાદીઓની શોધખોળ માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
જમ્મૂ કાશ્મીર પોલીસના અનુસાર તેને શોપિયાંના કિલૂરામાં ૪-૫ આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી. ત્યારબાદ સેના, પોલીસ અને સીઆરપીએફએ મળીને ઓપરેશન શરૂ કર્યું.
પોલીસ અનુસાર જયારે સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને તલાશી શરૂ કરી તો તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ સુરક્ષાબળો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ૪ આતંકવાદી ઠાર માર્યા. જયારે એકને જીવતો પકડવામાં આવ્યો. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઓપરેશનમાં સુરક્ષાબળોના કોઇ જવાનને નુકસાન પહોંચ્યું નથી.