સપ્ટેમ્બરમાં કેટલા દિવસ બંધ રહેશે બેંકો ?
સપ્ટેમ્બરમાં દેશના જુદા જુદા ભાગોમાં આવેલી બેંકો લગભગ ૧૨ દિવસ બંધ રહેશે
નવી દિલ્હી તા. ૨૯ : તહેવારોની સીઝનની સાથે જ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના સેકેન્ડ કવાટરનો છેલ્લો મહિનો સપ્ટેમ્બર શુરૂ થવાનો છે. આરબીઆઈના આદેશ-નિર્દેશન અનુસાર દેશમાં કાર્યરત બેન્કો રવિવાર ઉપરાંત મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બંધ રહે છે. ઉપરાંત, સપ્ટેમ્બરમાં કેટલીક વધારાની રજાઓ અને કેટલાક પ્રાદેશિક તહેવારો છે. સપ્ટેમ્બરમાં દેશના જુદા જુદા ભાગોમાં આવેલી બેંકો લગભગ ૧૨ દિવસ માટે બંધ રહેશે. જો કે, કોરોના કટોકટીને લીધે, બેન્કો ગ્રાહકોને સલાહ આપી રહી છે કે લોકો બેંકમાં ઓછા આવે, જો જરૂરી કામ ઘર છોડવું હોય તો. તમે અહીં રહેલી યાદીમાં જાણી શકો છો કે સપ્ટેમ્બરમાં કયા દિવસો છે જયારે બેંકો બંધ રહેશે. આ પહેલાં, તમારે તમારું મહત્વપૂર્ણ કાર્ય પતાવી લેવું જોઈએ નહીં તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
જો કે બેન્ક બંધ રહેવા દરમિયાન તમે એટીએમમાંથી કેશ ઉપાડવાની સાથે મોબાઇલ એપ અને ઓનલાઇન ટ્રાન્જેકસન કરી શકો છો. સાથે જ જો સપ્ટેમ્બર મહિનામાં તમે કોઇ ચાલુ દિવસે બેન્ક સાથે સંબંધિત કોઇ કામ કરવાનું ભૂલી ગયા હોય તો પણ વાંધો નહી. રજા દરમિયાન પણ રોકડની જરૂર પડે તો તમે એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકો છો. જો કે કોરોના મહામારીના પગલે લોકો વધુમાં વધુ ડિજિટલ ટ્રાન્જેકશનનો ઉપયોગ કરી રહ્યાં છે.
સાથે જ ઘણાં એવા લોકો છે જે બેન્કમાં જઇને લેવડ-દેવડ કરવામાં વિશ્વાસ રાખે છે. તેથી તેમણે બેન્કની રજાઓ વિશે જાણવુ જરૂરી છે.
જાણો સપ્ટેમ્બરમાં કયા દિવસોમાં બેંકો બંધ રહેશે |
|
૦૧ સપ્ટેમ્બર, મંગળવાર |
ત્રીજા ઓણમના કારણે કેરળ અને જાત્રાના તહેવારને કારણે સિક્કિમમાં બેંકો બંધ રહેશે. |
૦૨ સપ્ટેમ્બર, બુધવાર |
પંગ લ્હાબસોલ અને શ્રી નારાયણ ગુરુ જયંતિ હોવાને કારણે ગંગટોક, કોચી, કેરળ અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે. |
૬ સપ્ટેમ્બર, રવિવાર |
રવિવારને કારણે સાપ્તાહિક રજા રહેશે. |
૧૨ સપ્ટેમ્બર |
મહિનાનો બીજો શનિવાર હોવાને કારણે, બેંકોમાં રજા રહેશે. |
૧૩ સપ્ટેમ્બર |
રવિવારના કારણે બેંકમાં સાપ્તાહિક રજા રહેશે. |
૧૭ સપ્ટેમ્બર, ગુરુવાર |
અગરતલા, બેંગલુરુ અને કોલકાતા સહિત કેટલાક અન્ય રાજયોમાં મહાલયા અમાસને કારણે બેંકોમાં રજા રહેશે. |
૧૭ સપ્ટેમ્બર |
રોજ વિશ્વકર્મા પૂજા પણ છે. |
૨૦ સપ્ટેમ્બર |
રવિવારના કારણે બેંકમાં સાપ્તાહિક રજા રહેશે. |
૨૧ સપ્ટેમ્બર, સોમવાર |
કોચી અને તિરુવનંતપુરમમાં શ્રીનારાયણ ગુરુ સમાધિ દિવસ નિમિત્તે બેંકોની રજા રહેશે. |
૨૩ સપ્ટેમ્બર, બુધવાર |
હરિયાણા હીરોઝ શહીદ દિવસ નિમિત્તે બેંકોમાં રજા રહેશે. |
૨૬ સપ્ટેમ્બર |
મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશની બેંકોમાં રજા રહેશે. |
૨૭ સપ્ટેમ્બર |
રવિવાર હોવાને કારણે સાપ્તાહિક રજા રહેશે. |
૨૮ સપ્ટેમ્બર, સોમવાર |
સરદાર ભગતસિંહ જયંતીને કારણે પંજાબની ઘણી બેંકોમાં રજા રહેશે. |