રાજકોટમાં કોરોનાના મૃત્યુઆંકમાં મોટો ઘટાડોઃ આજે ૮ના મોત
સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેર અને જીલ્લામાં બે મૃત્યુની નોંધ : શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૩૨૨ બેડ ખાલી
રાજકોટ, તા. ૨૩: શહેર અને જીલ્લમાં છેલ્લા બે દિવસથી કોરોનાના મૃત્યુ આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાની સારવાર દરમિયાન ગઇકાલે ૧૭ અને આજે૮ દર્દીઓનાં મૃત્યુ થયા હતા.
સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેર અને જીલ્લામાં બે મૃત્યુની નોંધ થઇ છે.
આ અંગે સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૮નાં સવારે ૮ વાગ્યાથી આજ તા.૨૯ને સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૮ દર્દીઓનાં મૃત્યુ થયા છે.
કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૩૨૨ બેડ ખાલી છે.
શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમંરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. છેલ્લા ઘટા સમયથી મૃત્યુઆંકનો ઘટાડો થતા લોકોએ રાશતનાં શ્વાસ લીધા છે.