મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

ઉતર પ્રદેશમાં દુર્ગા પૂજાથી જોડાયેલ સાર્વજનિક આયોજનો પર પ્રતિબંધઃ શરતોની સાથે રામલીલાની અનુમતિ

ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથએ ઘોષણા કરી છે કે કોવિડ-૧૯ સંકટ વચ્‍ચે આ વર્ષ રાજયમાં દુર્ગા પૂજાથી સંબંધિત સાર્વજનિક કાર્યક્રમ આયોજિત નહી થાય. રાજયમાં સડક કિનારે દુર્ગા પૂજા સંબંધિત કાર્યક્રમોનીઅનુમતિ પણ નહી આપવામાં આવે. આ ઉપરાંત એમણે કહ્યું કે એક સાથે ૧૦૦થી વધારે લોકોને રામલીલા જોવાની અનુમતિ પણ નહીં મળે.

(11:34 pm IST)