News of Thursday, 30th June 2022
મહારાષ્ટ્રમાં સુશાસન દ્વારા વિકાસનો અને જનકલ્યાણ માટે નવો સૂરજ ઉગશે: મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ તીવત કરીને કહ્યું - અમને વિશ્વાસ છે કે તમે બાલાસાહેબના વિચારો પ્રમાણે મહારાષ્ટ્રના નવનિર્માણનું સ્વપ્ન સાકાર કરશો.
ભોપાલ : મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ બાદ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, ત્યારે દેશભરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એકનાથ શિંદેને અભિનંદન આપતા કહ્યું કે, એકનાથ શિંદેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ હાર્દિક અભિનંદન. અમને વિશ્વાસ છે કે તમે બાલાસાહેબના વિચારો પ્રમાણે મહારાષ્ટ્રના નવનિર્માણનું સ્વપ્ન સાકાર કરશો. સુશાસન દ્વારા વિકાસ અને જન કલ્યાણ માટે નવો સૂર્ય ઉગશે. હાર્દિક અભિનંદન.
(9:16 pm IST)