મુખ્ય સમાચાર
News of Tuesday, 30th November 2021

ભોજપુરી ફિલ્‍મ અભિનેત્રી નેહાશ્રીએ દિલ્‍હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્‍યા : ૪૦ લાખ જેટલા ફલોઅર્સ ધરાવતી અભિનેત્રીનું ફેસબુક પેઇજ હેક : પેઇજ ઉપર ગેરકાયદે અને બિભત્‍સ મેસેજ મુકાઇ રહ્યાની રાવ

ન્‍યુ દિલ્‍હી : ભોજપુરી તથા રાજસ્‍થાની ફિલ્‍મો ઉપરાંત ટી.વી. સીરીયલોમાં અભિનય આપતી અભિનેત્રી નેહાશ્રીનું ફેસબુક પેઇઝ હેક થઇ જતા તેણે દિલ્‍હી હાઇકોર્ટના દ્વાર ખખડાવ્‍યા છે.

અભિનેત્રીએ દાખલ કરેલી પીટીશનમાં જણાવ્‍યા મુજબ પોતે ૪૦ લાખ જેટલા ફલોઅર્સ ધરાવે છે તથા પોતાનું ફેસબુક હેક થઇ જતા અને તેના ઉપર ગેકાયદે તેમજ બિભત્‍સ મેસેજ મુકાઇ રહ્યા હોવાથી તેને નાણાથી પણ ભરપાઇ ન થઇ શકે તેવી હાનિ થઇ રહી છે.

અભિનેત્રીએ જણાવ્‍યા મુજબ પોતે ફેસબુક ઓફિસનો સંપર્ક સાધી ફરીયાદ નોંધાવી હતી. ઉપરાંત સાઇબર સેલનો પણ સંપર્ક કર્યો હતો. પરંતુ એક માસ જેટલો સમય વીતી ગયા પછી પણ કશુ પરિણામ મળ્‍યું નથી.

આથી પોતાનું ફેસબુક પેઇજ ફરીથી ચાલુ કરાવવા તેણે અરજ ગુજારી છે. તેવું બી. એન્‍ડ બી. દ્વારા જાણવા મળે છે. 

(12:00 am IST)