મુખ્ય સમાચાર
News of Monday, 31st August 2020

૨૨ દિવસમાં ૩૬૧ મોત

કોરોનાનો જીવલેણ ડંખ યથાવતઃ રાજકોટમાં આજે ૧૯ના જીવ ગયા

સિવિલ હોસ્પિટલમાં ૧૫ અને ખાનગી હોસ્પિટલમાં ૪ દર્દીઓએ દમ તોડ્યો

રાજકોટ તા. ૩૧: કાળમુખો કોરોના સતત અવિતરપણે જીવલણે ડંખ મારી રહ્યો છે. ગઇકાલે સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા ૧૨ દર્દીઓના મોત થયા બાદ આજે રાજકોટમાં વધુ ૧૯ દર્દીઓએ અંતિમ શ્વાસ લઇ લીધા છે. જેમાંથી ૧૫ દર્દીઓ સિવિલ કોવિડમાં અને ૦૪ દર્દી ખાનગી હોસ્પિટલમાં મોતને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે

(10:48 am IST)