Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત 23 વર્ષીય શીખ યુવાન પુનિત સિંઘનું નિજજરનું દુઃખદ અવસાન : શ્રી જસ્સી નિજ્જરના પુત્ર શ્રી પુનિતનું 24 જુલાઈ 2022ના રોજ કાર અકસ્માતે અવસાન થતા કોમ્યુનિટીમાં શોકનું મોજુ : સદ્દગતની અંતિમ યાત્રા 2 ઓગસ્ટ મંગળવારે સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન ગ્રાન સેન્ચુરિઅન ખાતે : પ્રાર્થના સભા બપોરે 3 કલાકે ગુરુદ્વારા દશમેશ દરબાર પોર્ટ રીડિંગ ખાતે : ગુજરાત પટેલ પ્રગતિ મંડળની શ્રધ્ધાંજલી

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : સખેદ જણાવવાનું કે યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત ગ્રોસરી મર્ચન્ટ શ્રી જસ્સી નિજ્જર તથા શ્રીમતી પરમજીત કૌરના વહાલા પુત્ર પુનિત સિંઘનું નિજજરનું 24 જુલાઈ 2022ના રોજ વહેલી સવારે કાર અકસ્માતે દુઃખદ નિધન થયું છે.

23 મે 1999ના રોજ જન્મેલા પુનિતનું 23 વર્ષની યુવાન વયે અવસાન થતા કોમ્યુનિટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે ગુજરાત પટેલ પ્રગતિ મંડળના ફાઉન્ડિંગ પ્રેસિડન્ટ શ્રી વીરુ પટેલ તથા કમિટી મેમ્બર્સએ મંડળ વતી શ્રદ્ધાંજલી આપી છે.સ્વ પુનિત સિંઘની યાદ સહુના હૃદયમાં કાયમી જળવાઈ રહેશે.

સદ્દગતની અંતિમ યાત્રા 2 ઓગસ્ટ મંગળવારે સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન ગ્રાન સેન્ચુરિઅન, 440 મેડિસન હિલ રોડ ક્લાર્ક ન્યુજર્સી મુકામે ( 732 -382 -1664 ) રાખવામાં આવી છે. તથા પ્રાર્થના સભા તે જ દિવસે બપોરે 3 કલાકે ગુરુદ્વારા દશમેશ દરબાર ,800 પોર્ટ રીડીંગ એવ. ,પોર્ટ રીડીંગ , ન્યુજર્સી મુકામે રાખવામાં આવેલ છે.

વિશેષ માહિતી શ્રી પાલા નિજ્જર 732 -921 -7700 ,શ્રી કુલદીપ સિંઘ 732 -910 -4334 ,તથા શ્રી જાગીર સિંઘ 917 -386 -4444 દ્વારા મેળવી શકાશે તેવું ગુજરાત પટેલ પ્રગતિ મંડળની યાદીમાં જણાવાયું છે. ૐ શાંતિ ,ૐ શાંતિ ,ૐ શાંતિ 

(12:06 pm IST)