Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

અમેરિકાની પ્રતિનિધિ સભાએ બે ઇન્ડિયન અમેરિકનને શ્રદ્ધાંજલિ આપી : કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા ચરણજીત સિંહ તથા ન્યૂજર્સીના પ્રીતમસિંહ ગ્રેવાલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

વોશિંગટન : અમેરિકાની પ્રતિનિધિ સભાએ બે ઇન્ડિયન અમેરિકનને શ્રદ્ધાંજલિ આપી શ્રદ્ધાસુમન અર્પણ  કર્યા હતા.

આ બે વ્યક્તિઓમાં કેલિફોર્નિયામાં સ્થાયી થયેલા ચરણજીત સિંહ તથા ન્યૂજર્સીના પ્રીતમસિંહ ગ્રેવાલનો સમાવેશ થાય છે.જે પૈકી ચરણજીત સિંહનું 12 મે ના રોજ અવસાન થયું હતું. 1950 ની સાલમાં જન્મેલા ચરણજીત સિંહ ભારતના લુધિયાણાના વતની હતા. તથા 1988 ની સાલથી અમેરિકામાં સ્થાયી થયા હતા.

જયારે ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા ગ્રેવાલને તેમની શીખ ગુરુદ્વારામાં સેવાઓ બદલ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(1:33 pm IST)