Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

'અલવિદા અનિરુદ્ધ જગન્નાથ' : મોરેશિયસમાં હિન્દી ભાષાને સન્માન અપાવનાર ભારતીયની ચિર વિદાય

મોરેશિયસ : મોરેશિયસમાં હિન્દી ભાષાને સન્માન અપાવનાર ભારતીય અનિરુદ્ધ  જગન્નાથએ ચિર  વિદાય લીધી છે. તેઓ મોરેશિયસના પ્રેસિડન્ટ રહી ચુક્યા હતા.ઉત્તર પ્રદેશના બલિયાના વતની શ્રી અનિરુદ્ધનાં પિતા પોતાનો પરિવાર લઇ મોરેશિયસમાં સ્થાયી થયા હતા.જ્યાં તેમણે હિન્દૂ સંસ્કૃતિ ઉજાગર કરી બતાવી હતી.

1873 ની સાલમાં અંગ્રેજોએ આ પરિવાર તથા અન્ય પરિવારોને શેરડીની ખેતી કરવા મોરેશિયસ મોકલ્યા હતા.જેને તેઓએ પોતાનું વતન બનાવી લીધું હતું. તેમછતાં મૂળ વતનને ભૂલ્યા નહોતા .તેમજ ભારતની રાષ્ટ્રભાષા હિન્દીનું સન્માન વધાર્યું થયુ તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:29 pm IST)