Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

પાકિસ્તાનમાં અત્યાચાર અને ગરીબીથી ત્રસ્ત હિંદુઓ ઇસ્લામ ધર્મ અપનાવવા મજબુર બની રહ્યા છે : મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તન થઇ રહ્યું હોવાનો ચોંકાવનારો અહેવાલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વસતા હિંદુઓ અત્યાચાર અને ગરીબીથી ત્રસ્ત થઇ મજબૂરીથી ઇસ્લામ ધર્મ અપનાવી રહ્યા હોવાના ચોંકાવનારા અહેવાલો મળી રહ્યા છે.અવારનવાર હિન્દૂ યુવતીઓના અપહરણ ,બળાત્કાર ,અને ધર્મ પરિવર્તન કરાવી ફરજીયાત શાદી કરવાના બનાવો બની રહ્યા છે.તે વચ્ચે હવે હિંદુઓમાં ગરીબીએ પણ ભરડો લીધો હોવાનું જાણવા મળે છે.કારણકે નોકરી મેળવવામાં તેમજ જમીન મકાનની ખરીદી ,શિક્ષણ સહીત દરેક બાબતમાં ભેદભાવ  રાખવામાં આવી રહ્યો છે. તેથી અત્યાચાર અને ગરીબીની ચુંગાલમાંથી મુક્ત થવા હિંદુઓ સામુહિક પણે મુસ્લિમ ધર્મ અપનાવી રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:51 pm IST)