Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

બ્રિટિશ શીખ જસવંત રાજદ્રોહ માટે દોષિત પુરવાર :2021માં રાણી એલિઝાબેથ બીજાને મારી નાખવાની યોજના હતી:1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે રાણીની હત્યા કરવા માંગતો હતો

લંડન :એક બ્રિટિશ શીખે 2021 ના નાતાલના દિવસે બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયની હત્યા કરવાની યોજના બનાવવા બદલ શુક્રવારે રાજદ્રોહ માટે પોતે દોષીત કબૂલ્યું હતું. વિન્ડસર પેલેસના મેદાનમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી જસવંત સિંહ ચૈલ (21) ની ધરપકડ પછી તરત જ, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવામાં આવ્યું હતું કે ચૈલ અમૃતસરમાં 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે રાણીની હત્યા કરવા માંગતો હતો.
 

ચેલે લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટમાં બ્રિટનના રાજદ્રોહ અધિનિયમ હેઠળ પોતે દોષીત હોવાનું કબૂલ્યું હતું. કોર્ટ 31 માર્ચે ચેઈલને સજા સંભળાવશે. તપાસનું નેતૃત્વ કરી રહેલા કમાન્ડર રિચર્ડ સ્મિથે આ ઘટનાને "અત્યંત ગંભીર" ગણાવી હતી અને ઘટના દરમિયાન પેટ્રોલિંગમાં રહેલા અધિકારીઓની પ્રશંસા કરી હતી. "તેણે ધનુષ અને તીરથી સજ્જ એક માસ્ક પહેરેલા માણસનો સામનો કરવા માટે જબરદસ્ત બહાદુરી બતાવી અને પછી કોઈને નુકસાન પહોંચાડ્યા વિના તેને કસ્ટડીમાં લઈ લીધો," સ્મિથે કહ્યું.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

 

(12:09 pm IST)