Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

અમેરિકામાં ગાયત્રી ચેતના સેન્ટર ,ન્યૂજર્સી દ્વારા સર્વે પિતૃ શ્રાદ્ધ તર્પણ વિધિ સંપન્ન : 6 ઓક્ટોબર બુધવાર અમાવાસ્યાના દિવસે આયોજિત કાર્યક્રમમાં 200 જેટલા ભાવિકોએ પિતૃ તર્પણ કર્યું : હિન્દૂ સંસ્કૃતિ મુજબ ,વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે કરાવાયેલી પૂજાથી સર્વે ભાવિકોએ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ન્યુજર્સી સ્થિત ગાયત્રી મંદિર દ્વારા છેલ્લા દસ વર્ષથી સતત સર્વે પિતૃ શ્રાદ્ધ તર્પણ વિધિનું આયોજન હિન્દૂ સંસ્કાર વિધિ દ્વારા જાહેર જનતાના લાભાર્થે કરવામાં આવી રહેલ છે. સર્વે પિતૃ અમાવાસ્યા બુધવાર ઓક્ટોબર 6 ના રોજ સાંજના 6-00 કલાકે શ્રી ગાયત્રી ચેતના સેન્ટર દ્વારા પિતૃ શ્રાદ્ધ તથા વિધિનું આયોજન સંપન્ન થયેલ .

ગાયત્રી ચેતના સેન્ટર ,ન્યુજર્સી પંડિત શ્રી રામ શર્મા આચાર્ય અને માતા ભગવતી દેવી શર્માના સૂક્ષ્મ સંચાલન તથા શ્રદ્ધેય શ્રી ડો.પ્રણવ પંડ્યા અને શ્રદ્ધેયા શૈલ જીજીના માર્ગદર્શન અને પ્રેરણા થકી યુગ નિર્માણ યોજનાનું ભવ્ય કાર્ય કરી રહ્યું છે. સોશિઅલ ડીસ્ટન્સનું ચુસ્ત પાલન કરીને ગાયત્રી મંદિર પિસકાટાવે ન્યુજર્સી ખાતે ઉપસ્થિત તમામ ભક્તો માટે હિન્દૂ સંસ્કૃતિ મુજબ ,વૈદિક મંત્રોચ્ચાર સાથે ,પૂજા સામગ્રી ,પિંડ ,થાળી ,ફૂલ ,અબીલ
ગુલાલ, જળ ,તથા શ્રાદ્ધ સાંયોગિક સંપૂર્ણ વ્યવસ્થા ' ગાયત્રી મંદિર ' દ્વારા કરવામાં આવી હતી.

પિતૃ તર્પણ શ્રાદ્ધ વિધિમાં 200 જેટલા આજુબાજુના વિસ્તારના ભાવિકોએ  ખુબ જ ભાવપૂર્વક વિધિમાં જોડાઈને લાભ લીધો હતો. ગાયત્રી મંદિરના આદરણીય સુબોધભાઈ ,વિનોદભાઈ ,જસભાઈ ,દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રાદ્ધ પિતૃ તર્પણનો સમૂહ કાર્યક્રમ સંપન્ન બનેલ .પૂજામાં બેસવા માટે કોઈ ચાર્જ -ફી રાખેલ ન હતી.દરેક ઉપસ્થિત વિધિમાં બેસનારને પોતાના સ્વર્ગસ્થના નામ અને ગોત્ર ના નામ બોલાવીને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરાવવામાં આવ્યા હતા.પોતાના મૃત પિતૃઓ માટે શ્રદ્ધા પૂર્વક કરવામાં આવેલું વિશેષ કર્મ શ્રાદ્ધ કરાવવાથી શ્રાદ્ધ કરતા આવાગમનના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. જે અંગે ગાયત્રી મંદિરના પૂજારી ટિમ -કાર્યકરો દ્વારા વિગતે છણાવટ કરીને સમજણ આપવામાં આવી હતી.ગાયત્રી સેન્ટરના કાર્યકર્તાઓના સેવા સંકલ્પ ,તથા સમય દાનથી મહાન કાર્ય પૂર્ણ થયેલ .

(1:18 pm IST)