Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

પાકિસ્તાનમાં ઇશનિંદાના ઓઠા હેઠળ લઘુમતી કોમો ઉપર અત્યાચાર થઇ રહ્યા છે : સંસદમાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સનનો પ્રતિભાવ

લંડન : બ્રિટન પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સને સંસદ સત્ર  દરમિયાન પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં  જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ઇશનિંદાના ઓઠા હેઠળ હિન્દૂ ,તથા ઈસાઈ સહિતની લઘુમતી કોમો ઉપર અત્યાચાર થઇ રહ્યા છે.તેથી પાકિસ્તાનના લોકોને તેમના મૂળભૂત અધિકારો આપવા તેમણે અપીલ કરી હતી.

પાકિસ્તાનમાં વસતા અહમદી સમુદાયના લોકો ઉપર થઇ રહેલા અત્યાચાર મામલે એક સંસદે પ્રશ્ન ઉઠાવતા પ્રાઈમ મિનિસ્ટરે ઉપરોક્ત જવાબ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પેશાવરમાં અહમદી સમુદાય સાથે જોડાયેલા મહેબૂબ ખાનની હત્યા મામલે પ્રશ્ન ઉઠાવાયો હતો.જે અંગે સંસદમાં ઉપરોક્ત ચર્ચા થઇ હતી.

(6:59 pm IST)