Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

નુપુર શર્માની ટીકા કરી રહેલા પાકિસ્તાનમાં ફરી હિંદુ મંદિર પર હુમલો : કરાચી શહેરના કોરંગી વિસ્તારમાં આવેલા શ્રી મારી માતાના મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ

કરાંચી : નુપુર શર્માની ટિપ્પણી બાદ પાકિસ્તાનમાં ફરી એકવાર લઘુમતીઓની આસ્થા પર હુમલો થયો છે. કરાચી શહેરના કોરંગી વિસ્તારમાં શ્રી મારી માતાના મંદિર પર બદમાશોએ હુમલો કર્યો હતો.

નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ પર કરેલી ટિપ્પણી બાદ પાકિસ્તાનમાં ફરી એકવાર લઘુમતીઓની આસ્થા પર હુમલો થયો છે. ગઈકાલ બુધવારે કેટલાક બદમાશોએ કરાચી શહેરના કોરંગી વિસ્તારમાં શ્રી મારી માતા મંદિરમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓની પણ તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાથી હિન્દુ સમુદાયના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલમાં વધુ કોઈ ગડબડ ન થાય તે માટે મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે કરાચીમાં હિંદુ મંદિર પર આ હુમલો તેવા દિવસોમાં થયો છે જ્યારે પાકિસ્તાને નૂપુર શર્માની ટિપ્પણી પર ભારતને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતે પણ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી હતી અને તેને તેના દેશમાં રહેતા લઘુમતીઓનું ધ્યાન રાખવા કહ્યું હતું.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(12:05 pm IST)