Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

સિંગાપોરમાં ભારતીય મૂળની નોકરાણીને માર મારવા તથા દમન ગુજારવા બદલ દંપતીને જેલ સજા : દંપતીએ સજા વિરુદ્ધ કરેલી અપીલ કોર્ટે ફગાવી : બંને આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવાઓ હોવાથી સજા યથાવત રાખવાનો હુકમ

સિંગાપોર : સિંગાપોરમાં ભારતીય મૂળની નોકરાણી 27 વર્ષીય અમનદીપ કૌરને માર મારવા તથા દમન ગુજારવા બદલ 2016 ની સાલમાં એક દંપતીને જેલ સજા ફરમાવાઈ હતી. જે મુજબ 40 વર્ષીય પત્ની ફરહા તહસીનને 1 વર્ષ અને 9 મહિનાની તથા તેના પતિ 42 વર્ષીય મોહંમદ તસ્લીમને 4 મહિનાની જેલસજા ફરમાવાઈ હતી.

આ ચુકાદા સામે દંપતીએ સજા રદ કરવા અપીલ કરી હતી .જે નામદાર કોર્ટે ફગાવી દીધી હતી.તથા જણાવ્યું હતું કે બંને આરોપીઓ વિરુદ્ધ દમન કરવાના પૂરતા પુરાવાઓ છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(7:07 pm IST)