Gujarati News

Gujarati News

News of Sunday, 30th August 2020

તુર્કીમાંથી 51 પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી : સ્પેશિઅલ ફ્લાઇટ દ્વારા ઇસ્લામાબાદ રવાના કરી દેવાયા

અંકારા : પાકિસ્તાનના નજીકના મિત્ર ગણાતા તુર્કી દેશમાંથી 51 પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે.તેઓને સ્પેશિઅલ ફ્લાઇટ દ્વારા ઇસ્લામાબાદ રવાના કરી દેવાયા છે.
સરકારી સૂત્રોના જણાવાયા મુજબ આ નાગરિકો અંકારામાં ગેરકાયદે નિવાસ કરી રહ્યા હતા.તથા ગેરકાયદે પ્રવૃતિઓ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફેબ્રુઆરી માસમાં પણ 110 પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી કરી દેવાઈ હતી.જેઓ માનવ તસ્કરી ,તેમજ ડ્રગ હેરાફેરી જેવા કર્યો સાથે સંકળાયેલા હતા.

(7:51 pm IST)