એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 2nd September 2020

કેલિફોર્નિયામાં આવેલા દેવી મંદિર નાપા આશ્રમમાં આગ : ધર્મશાળા,તથા રસોડા સહીત આખો આશ્રમ આગમાં ખાખ : જંગલમાં ફાટી નીકળેલા દાવાનળને કારણે આશ્રમને આગ લાગતા ધર્મશાળામાં ઉતરેલા યાત્રિકોને રેસ્ક્યુ કરાયા

કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયામાં જંગલમાં ફાટી નીકળેલા દાવાનળને કારણે 22 તથા 23 ઓગસ્ટના રોજ  દેવી મંદિર નાપા આશ્રમમાં આગ લાગી હતી.જેના પરિણામે ધર્મશાળા,તથા રસોડા સહીત આખો આશ્રમ આગમાં ખાખ થઇ જવા પામ્યો હતો.
આશ્રમના સ્વામી સત્યનંદાએ જણાવ્યું હતું કે પોતાની ઓફિસનો પણ અમુક ભાગ બળી ગયો હતો.મંદિરને થયેલું નુકશાન ફરીથી નિર્માણ કરવું પડે તેવું છે.આશ્રમમાં ઉતરેલા યાત્રિકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા.
સ્વામીજીએ ઉમેર્યું હતું કે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી. માતાજીના આશીર્વાદથી સહુ જીવતા બચી ગયા છીએ તેથી ફરીથી આશ્રમનું નિર્માણ કરી શકશું .

(6:29 pm IST)