એન. આર. આઈ. સમાચાર
News of Friday, 4th September 2020

યુ.એસ.સ્થિત પટેલ પ્રગતિ મંડળના શ્રી મિન્ટુ સિંઘના પૂજ્ય માતુશ્રી ત્રિપ્તા દેવીનું દુઃખદ અવસાન : 2 સપ્ટેમ્બર 2020 ના રોજ 84 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ લીધા : સદ્દગતની સ્મશાન યાત્રા તથા પ્રાર્થના સભા 5 સપ્ટેમ્બર 2020 ના રોજ

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.સ્થિત શ્રીમતી ત્રિપ્તા દેવી તે શ્રી મિન્ટુ સિંઘના માતુશ્રીનું 2 સપ્ટેમ્બર 2020 ના રોજ દુઃખદ અવસાન થયું છે. પટેલ પ્રગતિ મંડળની યાદીમાં સખેદ જણાવાયા મુજબ સદ્દગતની સ્મશાન યાત્રા 5 સપ્ટેમ્બર 2020 શનિવારના રોજ  સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન ફ્રેન્કલીન પાર્ક ફ્યુનરલ હોમ ,1800 સ્ટેટ રૂટ 27 ,નોર્થ બ્રન્સવિક ન્યુજર્સી મુકામે રાખવામાં આવેલ છે.જેનો કોન્ટેક નંબર 732-545-4184 છે.

પ્રાર્થના સભા 5 સપ્ટેમ્બર 2020 શનિવારના રોજ બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા દરમિયાન દશમેશ દરબાર ,800 પોર્ટ રીડીંગ એવ.પોર્ટ રીડીંગ ન્યુજર્સી મુકામે રાખેલ છે.જેનો કોન્ટેક નંબર 732-362-0160 છે.

શ્રીમતી ત્રિપ્તા દેવીનો જન્મ ભારતના જલંધર મુકામે 1936 ની સાલમાં  થયો હતો.તથા અવસાન 2 સપ્ટેમ્બર 2020 ના રોજ  કાર્ટરેટ  યુ.એસ.એ.મુકામે થયું છે.

તેઓ તેમના પુત્ર ( મિન્ટુ ) જસવિંદર સિંઘ ( 908-419-8926 )  તથા નરેન્દ્ર સિંઘ ( 908-419-9530 )  તથા પૌત્રો અને પૌત્રીઓ કરણ ,અમર ,રોનિત ,રિયા ,મનીષા ,શિવાની ,તથા મહક સહીત વિશાળ  પરિવાર અને સ્નેહીજનોને વિલાપ કરતા છોડી ગયા છે.

સદગતના પરમ પવિત્ર આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને સદગતના જીવનમાંથી સહુને સતત સેવા કરવાની પ્રેરણા મળતી રહે તેવી પટેલ પ્રગતિ મંડળ તથા પરિવાર જનોએ પ્રાર્થના કરી છે.તેવું શ્રી વીરુ પટેલની યાદી જણાવે છે.

(10:57 am IST)