યુ.કે.માં ગેરકાયદે નિવાસ કરતા ભારતીયોને દેશ નિકાલ કરાય છે : જયારે ભાગેડુ નીરવ મોદી અને વિજય માલ્યા છટકી જાય છે : મોંઘા વકીલો રોકી છટકબારીનો લાભ લેતા હોવાનું મંતવ્ય
લંડન : યુ.કે.માં ગેરકાયદે નિવાસ કરતા ભારતીયોને દેશ નિકાલ કરાય છે પરંતુ ભાગેડુ નીરવ મોદી અને વિજય માલ્યા દર વખતે જુદા જુદા બહાના બતાવી છટકી જાય છે . તેઓ મોંઘા વકીલો રોકી છટકબારીનો લાભ લેતા હોવાનું મંતવ્ય છે.
ભારતમાં કરોડો રૂપિયાનું બેન્ક કૌભાંડ આચરી ભાગી ગયેલા આ બંને અબજોપતિઓ કોર્ટમાં એવી દલીલ કરે છે કે ભારતમાં તેઓની યોગ્ય સુનાવણી નહીં થાય . તેમજ ભારતની જેલોમાં પૂરતી પ્રાથમિક વ્યવસ્થા પણ નથી.
ભારત સરકાર આ ભાગેડુઓને યોગ્ય સુનાવણીની તક આપવાની તેમજ જેલમાં પણ પૂરતી સુવિધા આપવાની ખાતરી આપે છે તેમછતાં તેઓના પ્રત્યાર્પણમાં લાંબો સમય વીતી જશે તેવું જણાય છે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2018 થી જુલાઈ 2019 સુધીમાં યુ.કે.માંગેરકાયદે સ્થાયી થયેલા 148 ભારતીયોને દેશનિકાલ કરાયા હતા.તેવું ઈ.ટી.દ્વારા જાણવા મળે છે.