એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 14th November 2020

' દેશના હિન્દૂ નાગરિકોને દિવાળી પર્વની શુભેચ્છા ' : પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને હિન્દૂ નાગરિકોને ' દિવાળી પર્વ ' ની શુભેચ્છા પાઠવી : કરાચી ,લાહોર ,સહિતના શહેરોમાં વસતા હિન્દૂ નાગરિકોમાં દિવાળી તહેવારનો ઉમંગ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને દેશના તમામ હિન્દૂ નાગરિકોને ટવીટરના માધ્યમ દ્વારા  દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી.

કરાચી ,લાહોર ,સહિતના  શહેરોમાં હિન્દૂ સમુદાયની વસતિ વધુ પ્રમાણમાં છે.ત્યાં વસતા હિન્દૂ સમુદાયમાં દિવાળી તહેવારનો ઉમંગ જોવા મળી રહ્યો છે.જેઓ આજે રાત્રે દિવા પ્રગટાવશે.ફટાકડા ફોડશે ,તથા મીઠાઈ વહેંચી દિવાળી તહેવાર ઉજવશે.મંદિરોમાં વિશેષ પૂજા થશે .

ઉલ્લેખનીય છે કે લઘુમતી સમુદાયના નાતે પાકિસ્તાનમાં હિંદુઓ સૌથી ઓછી વસતિ ધરાવતી કોમ છે.જેઓની સંખ્યા અંદાજે 75 લાખ જેટલી છે.જેમના ઉપર અવારનવાર અત્યાચારો થવાના બનાવો પણ જગજાહેર છે. 

(5:58 pm IST)