News of Friday, 16th July 2021
કોવિદ-19 ને કારણે પરિવારના 10 સભ્યો ખોયા : ભારત અને અમેરિકામાં વસતા પોતાના પરિવારના 10 સભ્યો કોવિદ-19 ને કારણે ખોવાનું દુઃખ : ઇન્ડિયન અમેરિકન સર્જન જનરલ વિવેક મુર્થીએ પોતાના અનુભવને ધ્યાને લઇ વેક્સિનનું મહત્વ સમજાવ્યું
વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના કાર્યકાળમાં બીજી વખત સર્જન જનરલ બનવાનું માન મેળવનાર ડો. વિવેક મુર્થીએ પોતાના અનુભવને ધ્યાને લઇ વેક્સિનનું મહત્વ સમજાવ્યું છે.
જે અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે કોવિદ-19 ને કારણે પોતે પરિવારના 10 સભ્યો ખોયા છે. જો સમયસર વેક્સીન આપી શકાઈ હોત તો આવી નોબત ન આવત .
ડો.મુર્થીએ ઉમેર્યું હતું કે વેક્સીન વિષે ગેરમાર્ગે દોરતા સમાચારથી દૂર રહો. વેક્સીન એક વૈજ્ઞાનિક તથ્ય છે. જે દરેકે લેવી જોઈએ.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.
(1:15 pm IST)