એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 11th November 2021

અમેરિકામાં શ્રી દ્વારકાધીશ મંદિર પાર્લીન ન્યુજર્સી મુકામે 13 નવે.2021 શનિવારે અન્નકૂટ મહોત્સવ : અગાઉ જાહેર કરેલી 21 તારીખે ગ્રહણ હોવાથી કરવામાં આવેલો ફેરફાર નોંધી લેશો : ઉત્સવ દરમિયાન ગોવર્ધન પૂજા ,અન્નકૂટ દર્શન ,તથા મહાપ્રસાદની વ્યવસ્થા

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં શ્રી દ્વારકાધીશ મંદિર 717 ,વોશિંગટન રોડ ,પાર્લીન ન્યુજર્સી મુકામે 13 નવે.2021 શનિવારે અન્નકૂટ મહોત્સવ ઉજવાશે . અગાઉ જાહેર કરેલી 21 તારીખે ગ્રહણ હોવાથી કરવામાં આવેલો ફેરફાર નોંધી લેવા સહુ ભક્તોને વિનંતી કરવામાં આવી છે.

ઉત્સવ દરમિયાન ગોવર્ધન પૂજાનો સમય સવારે 11 -00 વાગ્યાનો રહેશે. ગોવર્ધન પૂજા બાદ અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે.અન્નકૂટ દર્શન સાંજે 4 -30 વાગ્યાથી શરૂ થશે.મહાપ્રસાદનો સમય સાંજે 5 -00 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

અન્નકૂટ સિવાયના તમામ દર્શન ભીતરમાં થશે તેની નોંધ લેવા વિનંતી .
અન્નકૂટ સેવા રૂબરૂ ,ફોન ,અથવા ક્રેડિટ કાર્ડથી ઓફિસે નોંધાવી શકાશે.
વધુ માહિતી મંદિરના કાર્યાલયનો રૂબરૂ સંપર્ક સાધવા વિનંતી કરાઈ છે.તેમજ મંદિરના ફોન નં 732 -254 -0061 અથવા www.dwarkadhishtemple.org દ્વારા મેળવી શકાશે.તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(6:43 pm IST)