' આઝાદી અમર રહો ' : અમેરિકાના ન્યૂજર્સીમાં 14 ઓગસ્ટ 2021 શનિવારના રોજ ભારતનો 74 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાશે : ઈન્ડો અમેરિકન કલચરલ ફાઉન્ડેશન ઓફ ન્યુજર્સી ( IACFNJ ) ના ઉપક્રમે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન થનારી ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર : દેશભક્તિ સભર ગીતો તથા ડાન્સ ,ડી.જે. ,ફ્રી ફૂડ સેમ્પલિંગ , મેંદી ટેટૂઝ , તેમજ બાળકો માટેના કાર્યક્રમોનું આયોજન : તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ
દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી : ' આઝાદી અમર રહો ' . અમેરિકાના ન્યૂજર્સીમાં 14 ઓગસ્ટ 2021 શનિવારના રોજ ભારતનો 74 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાશે .
ઈન્ડો અમેરિકન કલચરલ ફાઉન્ડેશન ઓફ ન્યુજર્સી ( IACFNJ ) ડેટોનના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ ,329 ,કલવર રોડ ,મોનમાઉથ જંકશન , ન્યુજર્સી મુકામે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન થનારી ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર સમાન વિવિધ કાર્યક્રમોના આયોજનો કરાયા છે.
જેમાં ડી.જે. દર્શનના મ્યુઝિક સાથે સાંસ્કૃતિક તથા દેશ ભક્તિ સભર ગીતો તેમજ ડાન્સ , મેંદી ટેટૂઝ ,ફ્રી ફૂડ સેમ્પલીંગ ,તથા બાળકો માટે વિવિધ કાર્યક્રમો યોજાશે .
ભારતના આઝાદી દિવસની ઉજવણીમાં શામેલ થવા તમામ માટે વિના મુલ્યે પ્રવેશ રાખવામાં આવેલ છે.
સ્પોન્સરશીપ તથા બુથ માટે કોન્ટેક નં 848-391-0499 દ્વારા અથવા ઈમેલ info@iacfnj.org દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.તેવું ડો.તુષાર બી.પટેલની યાદી દ્વારા જાણવા મળે છે.
ઉપરાંત આગામી 22 ઓગસ્ટ રવિવારના રોજ સમર પીકનીક 2021નું આયોજન કરાયું છે. જેનો સમય સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
IACFNJ ટ્રસ્ટીઝ તથા એક્ઝિક્યુટિવ કમિટીમાં શ્રી હિતેશ પટેલ ,ડો.તુષાર પટેલ ,શ્રી મહેશ પટેલ ,શ્રી મહેશ શાહ ,શ્રી રાજેશ પટેલ ,સુશ્રી સુરભી અગરવાલ ,શ્રી રાઓજીભાઈ પટેલ ,શ્રી રેવો નાવાની , તથા શ્રી જાધવ ચૌધરીનો સમાવેશ થાય છે.