એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 26th August 2020

ભારતના પ્રવાસે જતા નહીં : ભારતને મિત્ર દેશ ગણાવતા અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત ન જવા સલાહ આપી : ભારતમાં કોરોના વાઇરસનો કહેર ,અપરાધોની હારમાળા ,અને આતંકવાદનો જમેલો : પ્રવાસ માટે ભારતને સૌથી ખરાબ ગણાતો 4 થા ક્રમાંકનો રેટ આપ્યો

વોશિંગટન :  ભારતને મિત્ર દેશ ગણાવતા અમેરિકાએ પોતાના નાગરિકોને ભારત ન જવા સલાહ આપી છે.જેના કારણમાં જણાવાયા મુજબ ભારતમાં કોરોના વાઇરસના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા હોવાનું જણાવ્યું છે.

ઉપરાંત ભારતમાં છાશવારે અપરાધો થતા જોવા મળે છે.તેથી ત્યાં જનારા વિદેશી નાગરિકોની સલામતી હોડમાં મુકાઈ જતી જોવા મળે છે.

એટલું જ નહીં ભારતમાં આતંકવાદ પણ ફૂલીફાલી રહ્યો છે.આથી આ દેશને અમેરિકાએ પ્રવાસ માટેના સૌથી ખરાબ એવા 4 થા રેટમાં મૂકી દીધું છે.જેમાં પાકિસ્તાન ,ઈરાન ,સીરિયા , ઇરાક ,યમન , સહિતના દેશોનો સમાવેશ થાય છે.

(2:05 pm IST)