Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021
ભીલ સમાજના કોટવાળ અને એસ.ટી.ના નિવૃત કર્મચારી ભીલવાસ સ્થિત રામાપીરના દ્વારે વર્ષોથી સેવા આપતા વિજયભાઈ વાગડીયાનું અવસાન : કાલે રવિવારે સાંજે ૪ થી ૬ બેસણું

રાજકોટઃ રાજકોટ ભીલ સમાજના કોટવાળ તેમજ વર્ષોથી ભીલવાસ સ્થિત રામાપીરના દ્વારે સેવા આપતા શ્રી વિજયભાઈ વેલજીભાઈ વાગડીયા (ઉ.વ.૬૯)નું તા.૨૮ના દુઃખદ નિધન થયું છે. તેઓ એસ.ટી.ના નિવૃત કર્મચારી હતા. તેઓએ રાજકોટ ભીલ પંચાયતમાં પણ સેવા આપી હતી. અત્યંત સરળ વ્યકિત અને મિલનસાર સ્વભાવવાળા વિજયભાઈના અવસાનથી ભીલ સમાજને મોટી ખોટ પડી છે. રામાપીરના દ્વારે નિયમીતપણે સેવા આપતા. તાજેતરમાં ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસે તેઓએ તેમના પુત્રને દીક્ષા આપી હતી.

સ્વ.વિજયભાઈ વાગડીયા (ઉ.વ.૬૯) (નિવૃત એસ.ટી.કર્મચારી) તે જયાબેનના પતિ તથા વિપુલભાઈ (મો.૯૭૨૭૭ ૫૫૨૨૭) અને વિક્રમભાઈ (મો.૯૭૨૪૩ ૩૯૩૯૩)નું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું આવતીકાલે તા.૧ ઓગષ્ટના રવિવાર સાંજે ૪ થી ૬ ભીલવાસ, રામપીરના દ્વારે રાખેલ છે.

અવસાન નોંધ

શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝવાળા હસમુખભાઇનું અવસાનઃ ટેલીફોનીક બેસણુ

રાજકોટ : શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝવાળા હસમુખભાઇ ભીમજીભાઇ કામણીયા (ઉ.૭૮) તે શૈલેષભાઇ, જયેશભાઇ, ધર્મેશભાઇના પિતાશ્રી અને મનોજભાઇ મારૂના સસરાનું તા. ૩૦ ના અવસાન થયેલ  છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ર ઓગસ્ટના સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

એડવોકેટ નોટરી વિમલભાઈ નિમ્બાર્કનાં પિતાશ્રીનું દુઃખદ અવસાનઃ સોમવારે બેસણું

રાજકોટઃ નટવરલાલ નાથાલાલ નિમ્બાર્ક (ઉ.વ.૭૯) (નિવૃત ટી.સી.એમ.) તેઓ એડવોકેટ એન્ડ નોટરી વિમલભાઈ નિમ્બાર્ક અને હિરેનભાઈ નિમ્બાર્ક (બી.એસ.એન.એલ)ના પિતાશ્રી તથા રાજેશભાઈ નિમ્બાર્કના મોટાભાઈ તથા રેખાબેન વિ.નિમ્બાર્ક (સ્ટાફનર્સ)ના સસરા તથા રેખાબેન આર. નિમ્બાર્ક (આચાર્ય કુમાર મંદીર જામનગર)ના જેઠનું તા.૩૧ શનિવારનાં રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૮ને સોમવારે ૩ થી ૫, તેમના નિવાસ સ્થાન આફ્રિકા કોલોની શેરી નં.૩, નિલકંઠ મહાદેવ મંદીર વાળી શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

હસમુખભાઇ કામલીયા

રાજકોટઃ શ્રી ગણેશ ઇન્ડસ્ટ્રીઝ વાળા હસમુખભાઇ ભીમજીભાઇ કામલીયા (ઉ.વ.૭૮) તે શેલેષભાઈ, જયેશભાઇ, ધર્મેશભાઇના પીતાશ્રી અને મનોજભાઇ પ્રવિણચંદ્ર મારૂના સસરાનું તા.૩૦ના અવસાન પામેલ છં. ટેલીફોનીક બેસણું તા.૨ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ભાવનાબેન રાણપરીયા

રાજકોટઃ મુ. ધોડીધાર, હાલ રાજકોટ સ્વ. ભાવનાબેન અનિલભાઇ રાણપરીયા જે અનિલભાઇ બાબુભાઇ રાણપરીયાના ધર્મપત્નિ તથા સાગર અનિલભાઇ રાણપરીયા અને હાર્દિક અનિલભાઇ રાણપરીયાના માતૃશ્રી તા. ૨૯ ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. સદગતનું બેસણું તા. ૨ ને સોમવારના રોજ સમયઃ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. મો. ૯૮૨૪૫ ૮૬૦૯૬, ૯૯૨૪૩ ૪૧૦૯૧ 

અરૂણાબેન જોષી

રાજકોટઃ ઓદીચ્ય ગુજરાતી સાડા ચારસો રાજકોટ નિવાસી ગં.સ્વ. અરૂણાબેન વિનાયકભાઈ જોષી (ઉ.વ.૭૦) તે સ્વ. વિનાયકભાઈ જટાશંકર જોષીના ધર્મ પત્ની શ્રી રમેશભાઈ જોષીના નાનાભાઈના પત્ની શ્રી દુષ્યંતભાઈ જે જોષી તથા દુ્ગૅશભાઈ એમ જોષીના ભાભી, રાજેશભાઈ વી. જોષી તથા ધવલભાઈ વી. જોષીના માતૃશ્રી, ધર્મિષ્ઠાબેન અને ભુમિબેનના સાસુ સ્વ. રમણીકલાલ વૃજલાલ શુકલ અને કમળાબેનનાદીકરી, શ્રી મહેન્દ્રભાઈ, ભરતભાઈ, નયનભાઈ, યોગેશભાઈ તથા હંસાબેન ના બહેન કમલ, કહાન તથા હર્ષીલના દાદીમાનુ દેહાંત તા. ૩૦ ને, શુક્રવારના રોજ થયેલ છે. કોરોના ગાઈડ લાઈનને કારણે સદગતનું ટેલીફોનીક બેસણું તા.૦૨ને સોમવારના રોજ સાંજે ૪  થી ૬  દરમિયાન રાજુભાઈના નિવાસ સ્થાન : ૨૧૦, સિધ્ધી વિનાયાક પાર્ક, શેરી નં. ૧૧, અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ નેત્રદીપ હોસ્પીટલ વાળો રસ્તો, રાજકોટ ખાતે રાખેલ છે. (પિયરપક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે) મો.  રાજુભાઈ જોષી - ૯૩૨૭૧ ૬૬૯૧૭, ધવલભાઈ જોષી - ૯૮૨૫૨ ૩૮૪૭૧,દુષ્યંતભાઈ જોષી - ૯૮૨૪૦ ૩૨૨૦૪

શારદાબેન જેઠવા

રાજકોટ : ચોરડી નિવાસી (હાલ રાજકોટ) શારદાબેન ભાનુભાઇ જેઠવા (ઉ.વ.૭પ) તે દિપકભાઇ જેઠવા (સિંચાઇ વિભાગ), પ્રદીપભાઇ જેઠવા (ઇન્કમટેેક્ષ વિભાગ), ગીતાબેન, ઉષાબેનના માતુશ્રી તમજ અજયભાઇ જેઠવા (પી.જી.વી.સી.એલ.), અભિષેકના દાદીશ્રીનું તા. ર૯ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ર ઓગસ્ટ સોમવારના સાંજે ૪ થી ૬ વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. 

પ્રતાપભાઈ વસંત

રાજકોટઃ પ્રતાપભાઈ કરમશીભાઈ વસંત તે રાજેશ અને ભાવેશના પિતાશ્રીનું તથા જીતેન્દ્રભાઈ, સુરેશભાઈના કાકા, વિનોદભાઈ, અરવિંદભાઈના બનેવીનું દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજેશ મો.૯૭૨૬૮ ૦૬૯૮૦, ભાવેશ મો.૬૩૫૫૮ ૭૩૯૮૦

ભારતીબેન પારેખ

રાજકોટઃ (મૂળ હલેંડા) નિવાસી ભારતીબેન સનતભાઈ પારેખ (ઉ.વ.૬૫) તે સનતભાઈ પ્રેમચંદભાઈ પારેખના ધર્મપત્નિ, તે બળવંતરાય વિક્રમચંદ સંઘવી (મોરબીવાળા)ના પુત્રી, તે અશોકભાઈ સંઘવી, રમેશભાઈ સંઘવી, કિર્તીભાઈ સંઘવી,  ઈલાબેન રાજેશભાઈ દફતરીના બહેન તથા ભૂમીબેન પાર્થભાઈ વાછાણીના માતુશ્રી તા.૩૧ના રોજ અરીહંત શરતણ પામેલ છે. હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા લૌકિક ક્રિયા સંપૂર્ણ બંધ રાખેલ છે. ટેલીફોનીક ઉઠમણું તા.૨ના સાંજે ૪  થી ૬ રાખેલ છે. સનતભાઈ પારેખ મો.૯૫૮૬૧ ૩૭૧૪૮, ભૂમિ વાછાણી મો.૯૭૧૪૩ ૮૮૮૦૪, રમેશભાઈ સંઘવી મો.૯૮૨૪૮ ૩૮૧૬૫, ઈલાબેન દફતરી મો.૯૮૨૪૦ ૮૮૮૦૮

પરાગભાઈ જોબનપુત્રા

રાજકોટઃ નિવાસી લોહાણા સ્વ.પરાગભાઈ હરકિશનભાઈ જોબનપુત્રા (ઉ.વ.૪૯) જે ગોકુલભાઈ મોરારજીભાઈ કકકડના જમાઈ તથા અશોકભાઈ, આશિષભાઈ, દિલીપભાઈ, મનીષભાઈ, કોમલબેન, રશ્મીબેન, શીતલબેનના બનેવીનું તા.૨૮ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની પિયર પક્ષની સાદડી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટેલીફોનીક તા.૩૧ શનિવારે સાંજે ૪ થી ૫ રાજકોટ ખાતે રાખેલ છે. ગોકુલભાઈ મોરારજીભાઈ કકકડ (સસરા) મો.૯૪૨૭૨ ૨૨૧૬૮, અશોકભાઈ કકકડ (સાળા) મો.૯૪૨૭૨ ૨૨૧૬૮, અશોકભાઈ કકકડ (સાળા) શ્રીતાબેન કકકડ મો.૭૦૬૯૧ ૬૯૯૦૧, આશિષભાઈ કકકડ (સાળા) મો.૯૦૧૬૭ ૫૯૭૧૯, મનિષભાઈ કકકડ (સાળા) મો.૯૮૨૪૦ ૪૩૦૮૧

કિશોરભાઈ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જબલપુર નિવાસી કિશોરભાઈ પ્રાણલાલ ત્રિવેદી ઉંમર વર્ષ ૭૭તેઓ સુરેશભાઈના નાના ભાઈ, સનતભાઇ,સ્વ સુધીરભાઈ , હિતેશભાઈ, સ્વ રંજનબેન, લતાબેનના મોટાભાઈ તથા ભાવનાબેન,દેવાંગભાઈ, ધર્મેન્દ્રભાઈના પિતાજી ,ગોવિંદજી ભટ્ટ ના જમાઈ અને સ્વ ગોપાલભાઈ, સ્વ ભાસ્કરભાઈ, સ્વ ઘનશ્યામભાઈના બનેવીનું તા.૩૦ના રોજ નિધન થયેલ છે. તેમનું ટેલીફોનીક ઊઠવણુ તથા સાસરા પક્ષનું બેસણું તા.૨ના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. હિતેશભાઈ  મો.૯૮૨૭૩ ૯૧૨૩૮, દેવાંગભાઈ મો. ૯૮૯૩૪ ૯૮૨૨૬

મયુરભાઇ બાલાસરા

રાજકોટ : સ્વ. વજુભાઇ જેઠુરભાઇ બાલાસરાના પુત્ર મયુરભાઇ (ઉ.વ.૪૧) (ટીનાભાઇ) તે કાનભાઇ (મો.૯૮૨૪૯ ૪૯૭૫૮), કિશોરભાઇ (મો.૬૩૫૧૨ ૭૫૯૮૨), રવિભાઇ (મો.૯૯૭૯૪ ૬૮૩૪૪)ના ભત્રીજા તેમજ ચંદ્રેશભાઇ (મુન્નાભાઇ) ના નાનાભાઇ તેમજ સ્વ. નારણભાઇ આપાભાઇ ડવના ભાણેજ તેમજ ચિ. ઓમના પિતાશ્રીનું તા. ૩૦ ના અવસાન થયેલ છે. કોરોના પરિસ્થિતિ ધ્યાને લઇ લૌકિકપ્રથા બંધ રાખેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. ૨ ના સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કિરણભાઇ કંસારા

રાજકોટ : કંસારા સ્વ. રતીલાલ નાગરદાસ કાગડાનાહ પુત્ર કિરણભાઇ (ઉવ.૬૩) (રીટાયર્ડ, ડે. એન્જીનીયર) તેઓ ગાલવ, હિરલ (PGVCL), હેતલના પિતાશ્રી તથા યગ્નેશના મોટાભાઇનું તા. ૩૦ના અવસાન થયેલ છે.

સદગતનું ટેલીફોનીક બેસણું મો.નં.    યગ્નેશભાઇ  ૯૪૨૮૧ ૫૭૭૦૮, ઇલાબેન ૯૯૭૯૭ ૬૧૩૮૫, ગાલવભાઇ ૯૮૨૪૫ ૭૯૪૮૯, હિરલબેન  ૯૦૮૧૮ ૦૪૩૦૭ તા. ૩૧ને શનીવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે.

મંજુલાબેન જોષી

જસદણ : મૂળ ગોખલાણા નિવાસી હાલ જસદણ રાજગોર)કાઠીગોર) બ્રાહ્મણ મંજુલાબેન મુકેશભાઈ જોષી(ઉ.વ.૫૬) તે વિમલભાઈ, ચિરાગભાઈ, મમતાબેન વિપુલકુમારના માતા તથા હસમુખભાઈ, શરદભાઈ, ધીરૂભાઈ, પ્રતાપભાઈના નાનાભાઈના પત્ની તેમજ સુરેશભાઈના ભાભીનું તા.૩૦ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨ને સોમવારે સાંજે ૪થી૬ વિંછીયા રોડ, પોપટભાઈ રાજપરાના ડેલામાં, જસદણ ખાતે રાખેલ છે.  ઉત્તરક્રિયા તા.૭ને શનિવારે રાખેલ છે.