Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021
રેલ્વેના નિવૃત સ્ટેશન માસ્તર પ્રભુલાલ લહેરૂના પત્નિ મનોરમાબેનનું અવસાન :આવતીકાલે સાંજે ૪ થી ૫ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ સારસ્વત બ્રાહ્મણ મનોરમાબેન (પ્રવિણાબેન) પ્રભુલાલ લહેરૂ (ઉ.વ.૭૫) તે પ્રભુલાલ દુર્લભજી લહેરૂ (નિવૃત રેલ્વે સ્ટેશન માસ્તર)ના ધર્મપત્નિ તથા મિનાક્ષીબેન, નીતાબેન, ભારતીબેન અને ચંદ્રેશભાઇના માતુશ્રી તેમજ યજ્ઞેશભાઇ કનૈયા, નયનભાઇ પંચોલી અને સ્વ. ગિરીશભાઇ ધરદેવ તેમજ પ્રિતીબેનના સાસુમાનો તા. ૧/૧૨ના કૈલાસવાસ થયો છે. હાલના સંજોગોને ધ્યાને રાખી સદ્દગતનું ટેલિફોનીક બેસણું તા. ૩ના શુક્રવારે સાંજે ૪ થી ૫ (ચંદ્રેશભાઇ-૯૪૨૬૫ ૭૨૪૩૧, પ્રિતીબેન-૯૪૨૬૫ ૬૨૯૬૬, યજ્ઞેશભાઇ-૯૪૨૮૪ ૯૩૧૮૦ અને નયનભાઇ-૯૨૬૫૧ ૬૭૩૫૧) રાખેલ છે.

અવસાન નોંધ

ધોરાજી સરકારી કન્યા વિદ્યાલયના પ્રોફેસર દિલીપભાઈ શુકલ નું અવસાન

ધોરાજી : ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ સ્વ. પ્રભુલાલ કે. શુકલના મોટા પુત્ર   ધોરાજીદિલીપભાઈ પી. શુકલ (પ્રોફેસર ધોરાજી સરકારી કન્યા વિદ્યાલય) તે ગીતાબેનના પતિ  માધવીબહેન એસ. વેકરિયા તેમજ નિધિબેન એમ. પંડ્યાના પિતાશ્રી તથા કનકબેન એલ. રાવલ, કિર્તીભાઈ પી.શુકલ, કિરણબેન એ. રાવલના ભાઈ ચિરાગ કે. શુકલ, વિરલ કે. શુકલના મોટાબાપુજી  સ્વ. ચુનીભાઈ આર. પાઠકના જમાઈનું તા. ૨૯ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણુંતા.૦૨-૧૨-૨૦૨૧ને ગુરૂવાર સમય સાંજના ૪:૦૦ થી ૬:૦૦  કલાકે રાખેલ છે. માધવીબેન એસ. વેકરિયા ૯૮૮૬૪૬૩૬૨૮, નિધીબેન એમ. પંડ્યા    ૯૨૬૫૧૮૦૬૫૩, કીર્તીભાઈ પી. શુકલ    ૯૮૯૮૫૯૯૩૨૩, ચિરાગ કે.શુકલ ૯૯૯૮૫૭૧૧૩૧, કનકબેનએલ.રાવલ  ૮૩૨૦૪૬૨૯૧૭, કિરણબેનએ.રાવલ ૯૪૨૮૪૧૦૩૩૦.

કંચનબેન પીલોજપરા

રાજકોટ : મુળ ગામ (ધમલપર) હાલ રાજકોટ ગુર્જર સુથાર મનસુખભાઇ ગોરધનભાઇ પીલોજપરાના ધર્મપત્ની કંચનબેન મનસુખભાઇ પીલોજપરા (ઉ.વ.૬૦) નું તા. ર૯ ના અવસાન થયેલ છે. તે અમૃતભાઇના નાનાભાઇના ધર્મપત્ની, જયસુખભાઇ, ચંદુભાઇ, પ્રભાબેન આમરણીયા, કુસુમબેન જોલાપરા, સ્વ. નંદલાલભાઇ, સ્વ. મહેશભાઇના ભાભી તથા વર્ષાબેન વડગામા, નેહલબેન ભેંસાણીયા, સંદિપભાઇ, રવિભાઇના માતુશ્રી તથા નીલ, તનીસના દાદીમાં, ભાવેશકુમાર મનસુખભાઇ વડગામા, નિલેશભાઇ હિંમતભાઇ ભેંસાણીયા, વૈશાલીબેન પિલોજપરાના સાસુમાં અને સ્વ. વ્રજલાલ ગોપાલભાઇ પેશાવરીયાના દિકરી અને ચેતનભાઇ પેશાવરીયા, મધુબેન કિશોરભાઇ ગુંદેચાના બહેન શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ વાલકેશ્વર સોસાયટી શેરી નં. ૧, હસનવાડી પાસે, બોલબાલા માર્ગ, ખાતે રાખેલ છે.

રીટાબેન પંડયા

રાજકોટ : ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ રીટાબેન નયનકુમાર પંડયા (ઉ.વ.પ૮), તે નયનકુમાર દયાશંકર પંડયા (રીટાયર્ડ પુરવઠા નિગમ) ના પત્ની તે સ્વ. ડી. યુ. પંડયા (રીટાયર્ડ એ. જી. ઓફીસ) તથા સ્વ. મંજૂલાબેન ડી. પંડયા (રીટાયર્ડ શાળા નં. ૬૦) ના પુત્રવધુ, તે સ્વ. હર્ષાબેન ભરતભાઇ જાની (રેલ્વે એકા.) ના ભાભી, તે યુગ્મા સિધ્ધાર્થ ભટ્ટ, માર્ગી પંડયા તથા ભૌમન પંડયાના માતુશ્રી, તે યોગેશભાઇ જોષી તથા હિતેષભાઇ જોષી (ભાવનગર વાળા)ના મોટા બહેનનું તા. ર૮ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા. ર ગુરૂવારના રોજ સાંજે ૩-૩૦ થી પ છોટુનગર કોમ્યુનીટી હોલ, હનુમાન મઢી, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશભાઇ સાગર

કોડીનાર : પરજીયા પટ્ટણી સોની રમેશભાઇ પરસોતમભાઇ સાગર (ઉ.વ.૭૦) તે હીરેનભાઇ સાગર, ચિરાગભાઇ સાગર તથા જયશ્રીકાબેન અનિલભાઇ થડેશ્વર (અમરેલી) ના પિતા તેમજ સ્વ. રમણીકભાઇ, કાન્તિભાઇ, નરોતમભાઇ (ઉના) તેમજ સ્વ. મગનભાઇ પરસોતમભાઇ સાગરના નાના ભાઇનું તા. ૩૦ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ સુધી સરદારનગર, ગરબી ચોક કોડીનાર તેમના નિવાસ સ્થાને રાખ્યું છે.

મુકુન્દભાઈ પાટડીયા

સરધારઃ સોની મુકુન્દભાઈ વિરચંદભાઈ પાટડીયા તે ઠાકરશીભાઈના મોટાભાઈ તેમજ મનુભાઈના નાનાભાઈ તા. ૧ના રોજ સરધાર મુકામે શ્રીજીચરણ પામેલ છે. બેસણુ તા. ૨-૧૨ ગુરૂવારના રોજ તેમના નિવાસસ્થાને સરધાર મુકામે રાખેલ છે.

ચંદુલાલ ચંદારાણા

રાજકોટઃ સ્વ.કલ્યાણજીભાઈ લક્ષ્મીચંદ ચંદારાણા (લાતીવાળા)ના પુત્ર ચંદુલાલ કલ્યાણજી તે સ્વ.અમૃતલાલ, જગદીશભાઈ તે ઈન્દુબેન, મધુબેન તેમજ સ્વ.શારદાબેનના ભાઈ તેમજ રામજી રૂગનાથ વાળા સ્વ.ચતુરદાસ મોહનલાલ પુજારા (ધ્રાંગધ્રાવાળા)ના જમાઈ તા.૧ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તેમજ સ્વસુર પક્ષની સાદડી તા.૩ના શુક્રવારે રાષ્ટ્રીયશાળા મધ્યસ્થ હોલમાં સાંજે ૪:૩૦ થી ૫:૩૦ રાખેલ છે.

સુરેશભાઇ કોટક

ચોટીલા : સ્વ. દયાળજીભાઇ જીવણભાઇ કોટક (રાજપરા વાળા)ના પુત્ર સુરેશભાઇ (ઉ.વ.૭૪) તે સ્વ. કનૈયાલાલ, સ્વ. ગાંડાલાલભાઇ, સ્વ. લલિતભાઇ તથા જયંતીભાઇના નાનાભાઇ તથા અનંતરાયભાઇના મોટાભાઇ અને સ્વ. ત્રિલોકભાઇ, જલ્પેશભાઇ (ગોપાલભાઇ) તથા તન્વીબેનના પિતાશ્રી અને તેઓ વલ્લભભાઇ ડોસાભાઇ મીરાણી મોરબીવાળાના જમાઇ તા. ૩૦ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ર ના રોજ સાંજે પંચનાથ મહાદેવ મંદિર રામ ચોક પાસે ચોટીલા રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.

મધુસુદનભાઇ ઠાકર

જામનગર : મુંબઇ નિવાસી સ્વ. વૈદ્ય જયંતીલાલ મોહનલાલ ઠાકરના મોટા પુત્ર મધુસુદનભાઇ જયંતીલાલ ઠાકર (ઉ.વ.૭૯) તે સ્વ. મૃદુલાબેન પંડયા (રાજકોટ) કિરણબેન દવે (અમદાવાદ) સ્વ. કિશોરભાઇ અને કીરીટભાઇના ભાઇ તથા જામનગર નિવાસી સ્વ. વસંતભાઇ રાવલ (નિવૃત રેલ્વે), સ્વ. નવનીતભાઇ (નિવૃત હાલાર સોલ્ટ), જયંતિભાઇ (નિવૃત ફિસરીશ) અને સ્વ. દિલીપભાઇ (નિવૃત રેલ્વે)ના બનેવી, વિણાબેનનાં પતિ તેમજ આરતીબેન નિલેશ ભટ્ટ, જીજ્ઞેશ અને ભાવેશના પિતાશ્રીનું તા. ૩૦ અને મંગળવારે મુંબઇમાં અવસાન થયું છે. ટેલિફોનીક સાંત્વના જીજ્ઞેશ મો. ૭૯૭૭ર ૩પ૧૭૦, આરતીબેન ૯૯ર૦૩ ૦૬૦પર, ભાવેશ ૯૮ર૦૧ ૧૦૬ર૮

હરેશભાઇ કોટક

ચોટીલા : સ્વ. કનૈયાલાલ દયાલજીભાઇ કોટક (રાજપરા વાળા)ના પુત્ર હરેશભાઇ (હરિભાઇ) ઉ.વ.પ૭ તે સ્વ. હિમતભાઇ તથા હસુભાઇના નાનાભાઇ તથા હિતેશભાઇ, ભરતભાઇ તથા ભાવેશભાઇના મોટાભાઇ તા. ૩૦ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ર ગુરૂવારના રોજ સાંજે પ કલાકે પંચનાથ મહાદેવ મંદિર રામ ચોક પાસે ચોટીલા મુકામે રાખેલ છે.

હંસાબેન પોપટ

રાજકોટઃ સ્વ.હંસાબેન મનહરલાલ પોપટ (ઉ.વ.૭૦) તે મનહરલાલના પત્ની, મનીષા અને ઈશિતાના માતુશ્રી તે અશોકભાઈ મશરૂ અને પંકજભાઈ મશરૂના બહેનનું તા.૧ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૩ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

નલીનીબેન શાહ

રાજકોટઃ માંડવી (કચ્છ) નિવાસી હાલ રાજકોટ શાંતિલાલ ખેંગારભાઈ શાહના ધર્મપત્નિ અ.સૌ.નલીનીબેન ગોપાલજીભાઈ શાહ ઉર્ફે અ.સૌ.સરલાબેન શાંતિલાલ શાહ (ઉ.વ.૮૪) તે સ્વ.ગોપાલજી સાકરચંદ શાહના પુત્રી તથા જયોત્સનાબેન દિલીપભાઈ વોરાના બહેન તથા મુકેશભાઈ શાહ, સતિષભાઈ શાહ, મહેશભાઈ શાહ, ચંદ્રેશભાઈ શાહના માતુશ્રી તથા આશાબેન, ચેતનાબેન, મિતલબેન, રિનાબેનના સાસુ તથા હેતલ, રીતલ, દિપાલી, હરિત, જીગીશા, મનાલી, સલોની, પ્રિયાંશ તથા શ્વેતાના દાદીમા તા.૨ને ગુરૂવારના રોજ અરિહંત શરણ પામેલ છે.  તેમનું ઉઠમણું તા.૩ને શુક્રવારે સવારે ૧૦ વાગ્યે અજરામર જૈન ઉપાશ્રય, કરણપરા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.

ચિમનભાઈ અઢીયા

રાજકોટઃ ચિમનભાઈ છોટાલાલ અઢિયા (ઉ.વ.૯૨) તે સ્વ.મંગળાબેનના પતિ, સ્વ.પરેશભાઈ, ભરતભાઈ, કેતનભાઈ, હર્ષાબેન રાજા, હિનાબેન જોબનપુત્રાના પિતા તથા ચેતનાબેન, લીનાબેન, મહેન્દ્રભાઈ રાજા, રજનીભાઈ જોબનપુત્રાના સસરા તથા ખ્યાતિ જય, ઋત્વી, સૌમિલના દાદા તથા સ્વ.પ્રભુદાસભાઈ, સ્વ.હરસુખભાઈ, સ્વ.રમેશભાઈ, વિનોદભાઈ, સ્વ.કિશોરભાઈ તથા હરેશભાઈના મોટાભાઈનું તા.૧ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩ના રોજ સાંજે ૪ થી ૫:૩૦ તેમના નિવાસસ્થાન સવન સિમ્ફનીમાં રાખેલ છે. કેતનભાઈ અઢિયા મો.૯૮૨૫૩ ૩૨૭૫૧

કાંતિભાઈ ઠકકર

રાજકોટઃ સ્વ.અમૃતલાલ ભવાનભાઈ દક્ષિણી (મરચાવાળા)ના જમાઈ તેમજ મહેશભાઈ, ભાવેશભાઈ, હરિશભાઈના બનેવી કાંતીભાઈ ભીખાભાઈ ઠકકર દુબઈ મુકામે તા.૩૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની સાદડી તા.૩ને શુક્રવારે બપોરે ૪ થી ૫ કલાકે નારો અલ્કેશ્વર મહાદેવ મંદિર, સદ્દગુરૂ કોમ્પલેક્ષ પાછળ, રૈયા રોડ, રાજકોટ મુકામે રાખેલ છે.

પ્રવિણાબેન ગોહેલ

રાજકોટઃ કારડીયા રાજપૂત સ્વ.પ્રવિણાબેન કિશોરભાઈ ગોહેલ તે કિશોરભાઈ હિરજીભાઈ ગોહેલના ધર્મપત્નિ તથા સંદિપભાઈ કિશોરભાઈ ગોહેલના માતુશ્રીનું તા.૧ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૩ શુક્રવારના રોજ, સમય ૪ થી ૬, ઉદેશ્વર મહાદેવનું મંદિર, ઉદયનગર શેરી નં.૫,  રાજકોટ ખાતે રાખેલ છે.