Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021
અવસાન નોંધ

ભાનુબેન સોલંકી

મોરબીઃ ભાનુબેન છોટાલાલ સોલંકી (ઉ.વ. ૮૪) (નિવૃત શિક્ષિકા ઘૂ ટું કન્યા શાળા) તે સ્વ. છોટાલાલ હકુભાઈ સોલંકીના પત્ની તેમજ નીલેશભાઈ સોલંકી (મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટ)ના માતા તા. ૩ના રોજ શિવચરણ પામેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે વાણંદ જ્ઞાતિ વાડી, ઝવેરી શેરી મેઈન રોડ, વાંકાનેર દરવાજા પાસે મોરબી રાખેલ છે.

મધુબેન જોષી

રાજકોટઃ ઔ.ઝા. બ્રાહ્મણ ગં.સ્વ. મધુબેન પ્રહલાદભાઈ જોશી તે સ્વ. શિવકુમારના લઘુબંધુના ધર્મપત્ની તેમજ સ્વ. લલિતભાઈ ગૌતમભાઈ (સીટીઝન્સ બેન્ક)ના ભાભી તથા કાંતાબેન ચત્રભુજ ત્રિવેદી (મુખીયાજી)ની પુત્રીનું તા. ૩૧ ના અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૫ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હસમુખકુમાર મારૂ

રાજકોટઃ સ્વ.અરવિંદભાઈ કવૈયાના જમાઈ હસમુખકુમાર રણછોડભાઈ મારૂનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૫ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલછ ે. રતનશીભાઈ કવૈયા મો.૯૧૦૬૫ ૦૧૫૩૧, રણછોડભાઈ કવૈયા મો.૯૭૨૫૮ ૦૯૬૦૩

હસમુખભાઈ મારૂ

રાજકોટઃ સ્વ.મનસુખભાઈ રણછોડભાઈ મારૂ તથા સ્વ.અરવિંદભાઈ મારૂ, સ્વ.તુલસીભાઈ મારૂ, વસંતભાઈ મારૂ તથા ધીરૂભાઈ મારૂના નાનાભાઈ હસમુખભાઈ રણછોડભાઈ મારૂનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૫ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. વસંતભાઈ મો.૮૩૪૭૮ ૨૨૪૬૦, ધીરૂભાઈ મો.૯૯૦૪૫ ૩૮૭૪૮, પરેશભાઈ મો.૮૮૪૯૦ ૬૪૫૫૨

હીરાભાઈ રાણપરીયા

રાજકોટઃ મુળ ગોંડલના હાલ રાજકોટ હીરાભાઈ ભુટાભાઈ રાણપરીયા તે દિનેશભાઈના પીતા તથા રિતેશભાઈના દાદાનું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું માત્ર ટેલીફોનીક બેસણું તા.૬ને શુક્રવારે સવારે ૧૦ થી સાંજે ૫  રાખેલ છે. દિનેશભાઈ મો.૯૪૨૭૨ ૨૩૦૦૪, રિતેશભાઈ મો.૯૯૨૪૭ ૭૯૭૯૦

કિશોરભાઇ કોટક

રાજકોટઃ સ્વ. કિશોરભાઇ જયંતિભાઇ   કોટક (ઉ.વ.૭૫) તે સ્વ. જયંતિભાઇ સવજીભાઇ કોટકના પુત્ર તે નયનાબેન ના પતિ તે સ્વ. છોટાલાલ જમનાદાસ મુલીયાના જમાઇ તે ગૌરવભાઇ, પારૂલબેન વિપુલકુમાર રાજપોપટ, વર્ષાબેન પ્રશાંતકુમાર સોનછત્રાના પિતાશ્રી તે ભરતભાઇ, ભુપતભાઇ, નિર્મળાબેેન, દિપકકુમાર હિંડોચા, પ્રફુલાબેન રજનીકાંત ઓંધીચા, દક્ષાબેન મહેશકુમાર પોપટ, જયોતિબેન રસીકકુમાર ચંચલના ભાઇશ્રીનું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.૫ને ગુરુવાર સાંજના ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૮૨ ૫૮૭૮૭, ૯૪૨૬૫ ૨૬૮૦૨, ૯૪૨૬૫ ૨૮૪૪૨

ડો.આદર્શભારથી ગોસ્વામી

રાજકોટઃ કૈ.વા. ડો.આદર્શભારથી પ્રવિણભારથી ગોસ્વામી (ઉ.વ.૨૩) તે પ્રવિણભારથી ધરમભારથી (પી.ડી. ગોસ્વામી)ના પુત્ર, હાર્દીકભારથી નરેશભારથી, રજનીશભારથી ગુણવંતભારથી, ચિરાગભારથી ગુણવંતભારથી, આશિષભારથી કિરણભારથીના લઘુબંધુ તથા ઓમદેવ પ્રવિણભારથીના વડીલબંધુ તા.૩ને મંગળવારે કૈલાશવાસ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા (બેસણું) તા.૫ને ગુરૂવારે બપોરેના ૩ થી ૬ વાગ્યે, રાષ્ટ્રીયશાળા રાજકોટ મુકામે રાખવામાં આવેલ છે.

કિશોરભાઈ રાણપરા

રાજકોટઃ કિશોરભાઈ ફુલચંદભાઈ રાણપરા (ઉ.વ.૫૮) તે અશોકભાઈ, હર્ષદભાઈના ભાઈ તથા હિતેષભાઈના કાકા તેમજ મમતા અને મોનિકાના પિતાશ્રી તથા ત્રિભોવનભાઈ મગનલાલ આડેસરાના જમાઈનું તા.૩ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૫ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. અશોકભાઈ મો.૯૮૨૪૫ ૩૭૨૩૪, હિતેષભાઈ મો.૮૮૪૯૦ ૮૬૭૪૧, હર્ષદભાઈ મો.૯૮૨૪૪ ૫૩૭૨૮

ઉદયસિંહ જાદવ

રાજકોટઃ નિવાસી સ્વ. ઉદયસિંહ માનસિંહ જાદવ (મુળગામ ચરખડી) (ઉ.વ.૭૧) તે શૈલેન્દ્રસિંહ ઉદયસિંહ જાદવના પિતાશ્રી તથા ભુપતસિંહ માનસિંગ જાદવ અને ભરતસિંહ માનસિંગ જાદવના ભાઇ જીતેન્દ્રસિંહ દોલુભા જાદવના કાકાનું તા.૩ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. બેસણું તા.૫ના બપોરે ૪ થી ૬ ગાયત્રી મંદિર ૨, ગીતાનગર, ગોંડલ રોડ જકાત નાકા પાસે રાજકોટ રાખેલ છે.