અવસાન નોંધ
રેખાબેન નકુમ
રાજકોટઃ કારડીયા રાજપૂત વડોદરા નિવાસી રેખાબેન મનીષભાઈ નકુમ (ઉ.વ.૪૯) તે મનીષભાઈનાધર્મપત્નિ તથા કશ્યપભાઈના ભાભી તથા દિનેશભાઈ (બરોડા), મનીષભાઈ (બરોડા), અનીલભાઈ તથા અશોકભાઈ, ભાવનાબેનના બહેનનું તા.૪ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેણસું તા.૬ને શનિવારે, સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૪૨૬૯ ૮૮૧૪૨, ૮૧૬૦૫ ૪૯૨૧૫
પુષ્પાબેન ત્રિવેદી
રાજકોટઃ પુષ્પાબેન રમાકાંતભાઈ ત્રિવેદી (ઉ.વ.૮૨) તે સ્વ.રામાકાંતભાઈ (નાગરિક બેંક)ના ધર્મપત્નિ તેમજ ઋષિકેશ અને મનિષના માતુશ્રીનો તા.૪ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સ્વ.નું ટેલીફોનીક બેસણું શનિવાર તા.૬ને શનિવારે ૩ થી ૬ રાખેલ છે.
ચંપાબેન પીઠડીયા
રાજકોટઃ મ.ક.સ.સુ.જ્ઞાતિના ચંપાબેન હિરાલાલ પીઠડિયા (ઉ.વ.૮૫) તે ભુપેન્દ્રભાઈ, હેમાંશ્રીબેન અને પ્રીતીબેનના માતુશ્રી જેનીશ અને વિરલના દાદીમાં તથા (જોડીયાવાળા) હાલ જામનગર નરભેરામ દેવજીભાઈ પરમારનાં બહેન તા.૪ના શ્રીજીચરણ પામેલ છે. તેમનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૬ના ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. સરનામું -૨૦૨ આદિનાથ બી. પટેલ ચોક નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર પાછળ, જામનગર રોડ, રાજકોટ ભુપેન્દ્રભાઈ મો.૯૮૨૪૩ ૧૪૦૫૪, વિરલ મો.૯૬૨૪૨ ૮૯૫૨૫, જેનીશ મો.૯૪૦૯૪ ૮૫૫૧૭
જયંતિભાઇ શુકલ
રાજકોટ : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ પુરૂષોતમભાઇ શુકલ (બાલાભાઇ) (ઉવ.૮૫) તે સ્વ. ચંદ્રકાન્તભાઇ તેમજ રમેશભાઇ સ્વ.મુકુંદભાઇના ભાઇ અને કુસુમબેનના પતિ સંજયભાઇ મયુરભાઇના પિતાશ્રીનું તા. ૪ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૬ ને શનિવારે સાંજે ૪:૩૦ થી ૬ સોપાનહિલ રામાપીર ચોકથી આગળ શાંતીનગર ગેઇટની અંદર રાખેલ છે.
રીટાબેન ભટ્ટ
રાજકોટ : રીટાબેન ઘનશ્યામભાઇ ભટ્ટ (ઉવ. ૫૮) તે ઘનશ્યામભાઇ આર. ભટ્ટના ધર્મપત્નિ તેમજ ધવલભાઇ ભટ્ટ (મારૂતિ લેબ.શેલણા)તથા રોહીતભાઇ ભટ્ટ (સંજીવની લેબ. સા.કુંડલા)ના માતૃશ્રીનું તા. ૪ના અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા. ૬ના પરશુરામ ઉપવન કે.કે. હાઇસ્કુલ રોડ સાવરકુંડલા ખાતે સાંજે ૪ થી ૬ રાખેલ છે.
સુરેશભાઇ વાછાણી
સ્વ સુરેશભાઈ મગનભાઈ વાછાણી (ઉં.વ.૬૩) નું તા. ૫ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે બેસણું તા.૬ ને શનિવારે બપોરે ૩ થી ૫ તેમના નિવાસસ્થાન અપૂર્વ સ્કૂલની બાજુમાં ધોરાજી ખાતે રાખેલ છે. તેમજ ભુખી ગામ ખાતે સાંજે ૮ થી ૯ પાટીદાર સમાજ ની વાડી મુ.ભુખી તાલુકો ધોરાજી ખાતે રાખેલ છે. અનિલ ભાઈ મગનભાઈ વાછાણી, સુભાષ ભાઈ મગનભાઈ વાછાણી, નિતીન ભાઈ મગનભાઈ વાછાણી, મો.૯૪૨૬૨ ૨૫૦૩૩.
નર્મદાબેન પિત્રોડા
રાજકોટઃ ગામ ભંડારીયા (જેતપુર) ગં.સ્વ. નર્મદાબેન (લાભુબેન) અરજણભાઇ પિત્રોડા (ઉ.વ.૯૫) તા.૩ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદગતનું બંને પક્ષનું બેસણું તા.૬ શનિવારના રોજ ૪ થી ૬ સ્વ. વલ્લભભાઇ રામજીભાઇ સોલંકીના નિવાસસ્થાન ગોપાલનગર-૪ 'અંબિકા' ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પિયરપક્ષ સ્વ.ધરમશીભાઇ રામજીભાઇ સોલંકી, સ્વ. વલ્લભભાઇ રામજીભાઇ સોલંકી, સ્વ. બાબુભાઇ રામજીભાઇ સોલંકી, શ્રી છગનભાઇ રામજીભાઇ સોલંકી, સસરા પક્ષઃ સ્વ. અરજણભાઇ નાથાભાઇ પિત્રોડા, સ્વ. પ્રભુભાઇ અરજણભાઇ પિત્રોડા, શ્રી પ્રવિણભાઇ અરજણભાઇ પિત્રોડા, શ્રી મહેશભાઇ અરજણભાઇ પિત્રોડા, શ્રી ભરતભાઇ અરજણભાઇ પિત્રોડા (નોંધ ટેલીફોનીક શોક સંદેશ પણ પાઠવી શકશો.) છગનભાઇ ૯૮૨૫૨ ૩૬૦૨૯, કિશોરભાઇ ૯૪૨૮૨૦૧૮૪૮, વિજયભાઇ ૯૮૨૫૦ ૩૮૧૩૪, પ્રવિણભાઇ ૯૯૧૩૫ ૩૭૯૪૦, મહેશભાઇ ૭૦૯૬૫ ૬૫૧૫૭, ભરતભાઇ ૯૯૨૫૪ ૫૫૬૪૩
દયાબેન રાઘવાણી
રાજકોટઃ મુળ બાલંભા હાલ રાજકોટ ગં.સ્વ. દયાબેન દામજીભાઇ રાઘવાણી તે શૈલેષભાઇ, કિશોરભાઇ, કિરણબેનના માતુશ્રીનું તા.૩ બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૫ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ (૯૬૨૪૯ ૫૫૧૨૮, ૩૭૨૩૩ ૫૧૫૧૪, ૯૦૧૬૯ ૦૯૫૮૫) ફોન ઉપર રાખેલ છે.
ધર્મેન્દ્રભાઈ રાણા
વિસાવદરઃ બારોટ ધર્મેન્દ્રભાઈ શિવાભાઈ રાણા (ઉ.વ. ૪૫)નું તા. ૫ના રોજ અવસાન થયેલ છે.
મોહનભાઈ રાદડીયા
વિસાવદરઃ મોટી મોણપરીના પટેલ મોહનભાઈ દેવજીભાઈ રાદડીયા (ઉ.વ.૭૨)નું તા. ૫ના રોજ અવસાન થયેલ છે.
તુલસીદાસ સોલંકી
વેરાવળઃ તુલસીદાસ ધારસીભાઈ સોલંકી (ઉ.વ. ૮૭) તે રશ્મીબેન તુલસીદાસ બામણીયા, મીલનભાઈ, જયેશભાઈ, પંકજભાઈ, શૈલેષભાઈના પિતાશ્રીનું તા. ૩ના અવસાન થયેલ છે.