Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022
મોરબી બાર એસોસીએશનના ઉપપ્રમુખ ચિરાગભાઇ કારીયાના પિતાશ્રીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સ્‍વ. શ્રી નવલચંદભાઇ ગોવિંદજીભાઇ કારીયાના સુપુત્ર તથા મોરબી બાર એસોસીએશનના ઉપપ્રમુખ કારીઆ તથા હાર્દિકભાઇ કારીયાના પિતા તથા દિલીપભાઇ, અશ્વિનભાઇ, ગીરીબાળાબેન, અજીતભાઇ બિપીનભાઇ કારીયા (રીટા. હાઇકોર્ટ જજ) ના ભાઇ તથા સ્‍વ. બાબુલાલ ગીરધરભાઇ પોપટના જમાઇ દુષ્‍યંતકુમાર નવલચંદભાઇ કારીયા તા. ૪ ના મોરબી મુકામે સવારે ૭.૩૦ કલાકે શ્રીજીચરણ પામેલ છે.સદ્‌્‌ગતનું બેસણુ તથા પીયર પક્ષની સાદડી તા. ૮ ના શુક્રવારના રોજ સાંજે પ થી ૬ કલાકે જલારામ મંદિર, અયોધ્‍યા પુરી મેઇન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

ગુણવંતરાય જાની
ગોંડલ : ગુણવંતભાઇ હરીલાલ જાની (ઉ.૮૩), (નાનુભાઇ) તે ભરતકુમાર ના મોટાભાઇ, જયંતભાઇ તથા જનાર્દનભાઇ ના કાકાનું તા.૪ સોમવારના અવસાન થયું છે. બેસણું તા.૭ ગુરૂવારના સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાન ‘અન્‍નપુર્ણા' ગ્રીન પાર્ક સોસાયટી, જેતપુર રોડ ગોંડલ ખાતે રાખેલ છે.


ડો. ઘનશ્‍યામભાઇ સિયારા
ગોંડલ : ડો. ઘનશ્‍યામભાઇ ઉકાભાઇ સિયારા (ઘનશયામ લેબોરેટરી) (ઉ.૯૪) તે હસમુખભાઇના પિતાશ્રી તથા આશુતોષભાઇના દાદાનું તા. ૪ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૮ ને શુક્રવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાન ૧પ સ્‍ટેશન પ્‍લોટ ‘યાદવેસ' ગોંડલ મુકામે રાખેલ છે.